SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન રહિત થઈ જાય છે, તેવા પરમેશ્વર નથી થતા. તેમનું જ્ઞાન નિત્ય છે. એટલા માટે એ નિશ્ચિત જાણવું જોઈએ કે નિમિત્ત વિના નૈમિત્તિક અર્થ સિદ્ધ કદી પણ નથી થતો. (સ. પ્ર. સાતમો સમુલ્લાસ). ભાપ્ય અનુવાદ - આપણા પૂર્વવર્તી ગુરુ તો કાળથી અર્વાચ્છન=નાશ પામે છે. જે ઈશ્વરમાં પ્રવચ્છેવાર્થ નાશનો હેતુ કાળ ઉપસ્થિત નથી થતો તે ઈશ્વર પૂર્વજ ઋપિમહર્ષિઓના પણ (અગ્નિ આદિના પણ) ગુરુ = જ્ઞાન-ધર્મના ઉપદેટા (ઉપદેશક) છે. જેમ આ સૃષ્ટિની આદિમાં પ્રકૃષ્ટ જ્ઞાન આદિના કારણે (ઈશ્વર) સિદ્ધ છે, તે જ રીતે પાછળની સૃષ્ટિઓની આદિમાં પણ જાણવું જોઈએ. ભાવાર્થ - (ક) તે ઈશ્વર એટલા માટે પણ જીવોથી ભિન્ન પુરપ વિશેપ છે કે જીવાત્મા પણ જો કે અજન્મા, અમર, શાશ્વત ચેતન સત્તા છે, પરંતુ તે શરીર આદિથી સંબંધ થઈ જન્મ લેવો તથા પૃથક્ થઈ મૃત્યુ થયું આદિ બંધનોથી બંધાઈ જાય છે. અને જે જન્મ લે છે, તેનું મૃત્યુ અવશ્ય થાય છે. એ ઈશ્વરનો અટલ નિયમ છે. એટલા માટે વ્યાસ મુનિએ લખ્યું છે કે - પૂર્વે દિપુર્વ: નેનાવચ્છિદ્યન્ત | અર્થાત્ જેટલા પણ ઋષિ-મુનિ વિદ્વાન વ્યક્તિ આજ સુધી થયાં છે. તે બધાં જ દેહ ધારણ કરવાથી કાળ થી સીમિત કહેવાય છે, કેમ કે દેહ સદા નથી રહેતાં અને દેહ ધારણ વિના કોઈ પણ જીવાત્મા જ્ઞાનનો ઉપદેશ નથી કરી શકતો. પરંતુ ઇશ્વર દેહ આદિ બંધનમાં કદી પણ નથી આવતા. તે કાળથી પણ સીમિત નથી થઈ શકતા. એટલા માટે પ્રત્યેક સર્ગ (સુષ્ટિ રચના)ની આદિમાં તે સર્વજ્ઞ, તથા કાળ આદિથી નાશ ન થનાર ઈશ્વર જીવોને વેદોનો ઉપદેશ કરે છે. એટલા માટે સૂત્રકારે ઈશ્વરને પૂર્વજોના પણ ગુરુ કહ્યા છે. (ખ) આ ભાગ્યમાં અનેક બ્રાન્તિઓનું પણ નિરાકરણ થઈ જાય છે. જેમ કે વેદોને સૃષ્ટિની આદિમાં આપેલા ઈશ્વરીય જ્ઞાનને ન માનવું અથવા વેદજ્ઞાનને નિત્ય માનતા હોવા છતાં પણ ઈશ્વરીય જ્ઞાન (ઈશ્વરીય ઉપદેશ) ન માનીને સુપ્ત પ્રબુદ્ધ ન્યાયથી મનુષ્યોને સ્મરણ થવાની વાત માનવી, વેદોને ઘણા અર્વાચીન (આધુનિક) માનવા, અને વેદોને ઋષિ-મુનિ પ્રણીત માનવા ઈત્યાદિ બ્રાન્તિઓનું નિવારણ વ્યાસ મુનિના ભાણથી ઘણા જ સ્પષ્ટરૂપથી થઈ રહ્યું છે. ર૬ તવ્ય વાવે: પ્રવિડ રા સૂત્રાર્થ (તસ્ય વા.) જે ઈશ્વરનું મોકાર નામ છે, તે પિતા પુત્રના સંબંધ સમાન છે અને તે નામ ઈશ્વરને છોડીને (સિવાય) બીજા અર્થનું અગ્નિ આદિની જેમ) વાચી નથી થઈ શકતું. ઈશ્વરનાં જેટલાં નામ છે. તેમાં ગોકાર સૌથી ઉત્તમ નામ છે.” (ભૂ. ઉપાસના) "ગોરૂમ) આ મૉકાર શબ્દ પરમેશ્વરનું સર્વોત્તમ નામ છે. કેમ કે તેમાં જે , ૩ અને મૂત્રણ અક્ષર મળીને એક ગોરૂમ) સમુદાય બન્યો છે. આ એક નામથી પરમેશ્વરનાં ઘણાં નામ આવે છે. જેમ કે ગકારથી વિરાટુ, અગ્નિ તથા વિશ્વ આદિ. ૩કારથી - ૮૦ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy