SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાસભાપ્યમાં પરિમાણ (માપ)ની જેમ કહીને કર્યું છે. અર્થાત્ જેમ જયારે આપણે પ્રાકૃતિક પદાર્થોમાં અલ્પતાની દૃષ્ટિથી વિચાર કરીએ, કે સૌથી નાની વસ્તુ કઈ છે, કે જેનાથી નાની બીજી કોઈ પણ ન હોઈ શકે ત્યારે પરમાણુ નિરતિશય નાનો માન્યો છે અને મોટાની દષ્ટિએ આકાશને નિરતિશય મોટું કહ્યું છે. તે જ પ્રમાણે જ્ઞાન ચેતન આત્માનો ગુણ છે. આ ચેતન ધર્મના વિષયમાં પણ ઈશ્વરમાં નિરતિશય જ્ઞાન છે. માટે તે સર્વજ્ઞ હોવાથી સૃષ્ટિની રચના આદિ કાર્યોને કરવામાં સમર્થ છે. (૨) વ્યાસ ભાષ્યમાં એ પણ સ્પષ્ટ છે કે ઈશ્વરનું વેદોનો ઉપદેશ કરવાનું તથા સૃષ્ટિની રચના આદિ કરવાનું પ્રયોજન છે- જીવાત્માઓ પર દયા કરવાનું. તેનાથી પણ ઈશ્વરથી જીવોનો ભેદ સ્પષ્ટ થાય છે અને તે ઈશ્વર એ જ્ઞાનનો ઉપદેશ સૃષ્ટિની આદિમાં જીવોને કરે છે, જેથી જીવાત્મા જ્ઞાન પ્રાપ્તિ કરીને પરમ-લક્ષ્ય મોક્ષને પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ શકે છે. મારા નોંધ - (૧) ઈશ્વરના નામ આદિનું જ્ઞાન વેદથી થાય છે (ક) " મિત્ર वरुणामग्निमाहुरथो दिव्यस्स सुपर्णो गरुत्मान् । एक सद्विप्रा बहुधा वदन्त्यग्निं यम મરવાનHI[ ' || (ઋ. ૧/૧૬૪,૪૬) (ખ) માં સર્વ પ્રd (યજુ. ૪૦૧૭) (२) हिरण्यगर्भः समवर्त्तताग्रेभूतस्य जात: पतिरेक आसीत । स दाधार पृथिवीं द्यामुतेमा વચ્ચે સેવા વિષા વિષે (યજુ.) (ઘ) સૂર્ય આત્મા તતસ્થs I (યજુ.) ઈત્યાદિ. (૨) આદિ વિદ્વાન પરમેશ્વર જ છે. કેમ કે તે જ સૃષ્ટિની પ્રારંભમાં વેદોના ઉપદેશ દ્વારા મનુષ્યોને જ્ઞાન આપે છે. જેમ કે આ જ શાસ્ત્રમાં આગળ કહ્યું છે ‘ પૂર્વેષાપિ ગુરુ સેનાનવછે ત્ા (યો. ૧/૨૬) (૩) મસુરસ્થાપત્યશ્રાસુર નવા | ‘મસુર પરમાત્માનું નામ છે. કેમ કે મસૂન = પ્રાન રાતિ ટ્રાતિ' - પ્રાણોને પ્રદાન કરે છે. તેમના મપત્ય = પુત્ર હોવાથી ‘સુર' જીવાત્મા માટે અહીં આવેલ છે. स एष पूर्वेषामपि गुरु : कालेनानवच्छेदात् ॥२६॥ સૂત્રાર્થ-(g.) જો કે પ્રાચીન અગ્નિ, વાયુ, આદિત્ય, અંગિરા અને બ્રહ્મા આદિ પુરુષ સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા હતા, તેમનાથી માંડીને આપણા સુધી તેમ જ આપણી આગળ (પછી) જે થવાના છે, તે બધાંના ગુરુ પરમેશ્વર જ છે. કેમ કે વેદ દ્વારા સત્ય અર્થોનો ઉપદેશ કરતા હોવાથી પરમેશ્વરનું નામ ગુરુ છે. તે ઈશ્વર નિત્ય જ છે. કેમ કે ઈશ્વરમાં ક્ષણ આદિ કાળની ગતિનો પ્રચાર જ નથી. (ઋ.ભૂ. વેદોનું નિયત્વ) જેમ વર્તમાન સમયમાં આપણે લોકો અધ્યાપકો પાસેથી શીખીને જ વિદ્વાન થઈએ છીએ, તે રીતે પરમેશ્વર સૃષ્ટિની આરંભમાં ઉત્પન્ન થયેલા અગ્નિ આદિ ઋષિઓના ગુરુ અર્થાત્ શીખવાડનારા છે. કેમ કે જેમ જીવ સુપુતિ તથા પ્રલયમાં સમાધિ પાદ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy