SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકૃતિના કાર્યભૂત શરીર આદિ અવયવોમાં યોગજ ધર્મરૂપ સંસ્કારોના પ્રવેશને આપૂર' કહે છે. (૨) “જાતિ' નો અર્થ જન્મ છે.... કન્યા જ્ઞાતિજ્ઞત્યન્તરમ્ | હવે -યોગજ ધર્મ પ્રકૃતિઓનો પ્રયોજક નથી હોતો -- निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु तत: ક્ષોત્રિવત / રૂા. સૂત્રાર્થ- નિત્તમ) યોગજ ધર્મ વગેરે જે નિમિત્ત છે તે પ્રકૃતીના) ઉપાદાન તત્ત્વોનું (પ્રયોગમ) પ્રવર્તક નથી હોતું (0) પરંતુ તત:) તે યોગજ ધર્મ આદિ નિમિત્તથી ક્ષેત્રિવત) ખેડૂતની માફક વિરમે ) પ્રકૃતિનું આવરણ = પ્રતિબંધક અધર્મથી ઉત્પન્ન અશુદ્ધિરૂપ વિપ્ન પૃથફ = દૂર થઈ જાય છે. ભાખ-અનુવાદ-તે નિમિત્ત યોગજધર્મ પ્રકૃતિઓનો પ્રયોગ = પ્રેરક નથી હોતો કેમકે કાર્યથી કારણ પ્રવૃત્ત નથી થતું. તો પછી કેવી રીતે (જાત્યન્તરપરિણામ) હોય છે.? તે ધર્મ આદિ નિમિત્તથી ખેડૂતની જેમ વરખે=આવરણનું ભેદન (ફાડવાનું) માત્ર કરે છે. જેમ ખેડૂત પાણીથી ભરેલી વાર= કયારીથી બીજી સમતલ (સરખી), નીચેની અથવા વધારે નીચેની ક્યારીમાં પાણી પહોંચાડવાની ઇચ્છાવાળો પાણીને હાથથી (ખોબાથી) નથી પહોંચાડતો, પરંતુ પાણીના આવરણ (પાળા)ને તોડી નાખે છે. તેના ટૂટી જવાથી પાણી તેની જાતે જ બીજી કયારીમાં પહોંચી જાય છે. તે જ રીતે યોગજ ધર્મ નિમિત્ત પ્રવૃત્તિઓના આવરણભૂત અધર્મને હટાવી દે છે. તેના હટવાથી પ્રકૃતિઓ જાતે જ પોત-પોતાના વિકારને પ્રાપ્ત થઈ જાય છે. અથવા જેમ તે જ ખેડૂત તે જ કયારીમાં જલીય અથવા પાર્થિવ રસોને ધાન્ય અનાજના છોડો (રોપાઓ) ની જડોમાં દાખલ કરાવવામાં સમર્થ નથી થતો, તો તે શું કરે છે? મુદ્ગ, ગધુક (ગોજવી) શ્યામક વગેરે (વાસો ને) તે ક્યારીમાંથી ખોદીને હટાવી દે છે. અને તેમના દૂર થવાથી (જલીય અથવા પાર્થિવ) રસ, વાચ= અન્નના છોડવાની જડોમાં સ્વયં પ્રવિષ્ટ થઈ જાય છે. તે જ પ્રકારે ધર્મ પણ અધર્મની નિવૃત્તિ માત્રમાં કારણ બને છે. શુદ્ધિ અને અશુદ્ધિનો પરસ્પર એકદમ વિરોધ હોવાથી એ ધર્મ પ્રકૃત્તિની પ્રવૃત્તિમાં કારણ નથી હોતો (બનતો). આ વિષયમાં નંદીશ્વર વગેરેનાં ઉદાહરણ આપવા યોગ્ય છે. આ વાતનેવિપરીત (ઉલ્ટા) રૂપમાં પણ લો તો અધર્મ ધર્મને બાધિત કરે છે અને તેનાથી અશુદ્ધિવાળાં પરિણામ થાય છે. આ વિષયમાં પણ નહુષ, અજગર વગેરેનાં ઉદાહરણ આપવા યોગ્ય છે. ભાવાર્થઃ ગત સૂત્રોમાં ચિત્તની વિભિન્નસિદ્ધિઓનું કથન કરીને દેહાન્તરમાં તેમનું ફળ કહેવામાં આવ્યું છે. અહીં એ પ્રશ્ન થાય છે કે શું યોગસાધનાથી ઉત્પન્ન ધર્મ આદિ નિમિત્ત દેહાન્તરમાં પ્રકૃત્તિનાં તત્ત્વોને પ્રેરિત કરે છે, અથવા અનુકૂળ પરિણામમાં ૩૧૪ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy