SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે, પરંતુ જેટલા વખત સુખથી રોકી શકાય, તેને જયાં હોય ત્યાં ને તેવો અને તેવો એકદમ રોકી દેવો.” ( ભૂ. ઉપાસના) (૪) બાહ્યાભ્યાન્તરાપી - જયારે પ્રાણ અંદરથી બહાર નીકળવા લાગે ત્યારે તેનાથી વિરુદ્ધ તેને ન નીકળવા દેવા માટે બહારથી અંદરલે. અને જયારે બહારથી અંદર આવવા લાગે ત્યારે અંદરથી બહારની તરફ પ્રાણને ધક્કો મારીને રોકતા જાવ” (સ.પ્ર. ત્રીજો સમુલલાસ) ઉપર જણાવેલા ભેદ મહર્ષિએ વ્યાસ-ભાખના આશ્રયથી જ લખ્યા છે. કેમ કે વ્યાસ-ભાખમાં ચોથા પ્રાણાયામને “ભૂમિકય' કહીને ઉચ્ચ સ્તરનો બતાવ્યો છે. અને આપૂર્વક લિમ્ ધાતુનો પ્રયોગ નિવૃત્તિ અર્થમાં થાય છે. પરંતુ અહીં વ્યાસ-ભાષ્યમાં તેનો અતિક્રાન્ત અર્થ વધારે સંગત થાય છે. જેનાથી આ પ્રાણાયામના ઉચ્ચ સ્તરની જ પુષ્ટિ થાય છે. આ બંને પ્રાણાયામોમાં એવો ભેદ વ્યાસ ભાષ્યમાં માન્યો છે કે ખંભવૃત્તિમાં બાહ્ય તથા આભ્યન્તર વૃત્તિના પ્રાણાયામોના વ્યાપારનું ધ્યાન નથી રાખવામાં આવતું. પરંતુ ચોથા પ્રાણાયામમાં બાહ્ય તથા આભ્યન્તર પ્રાણાયામોનો વ્યાપાર પહેલેથી જ નિશ્ચિત તથા પરીક્ષિત હોય છે. અને ઉચ્ચ સ્તરમાં પહોંચીને ૩મયાક્ષેપપૂર્વ: = બંને પ્રાણાયામની નિવૃત્તિ અથવા અતિક્રમણ કરવામાં આવે છે. અર્થાત્ અંદર પ્રાણ રોકી રાખ્યો હોય અને તે બહાર નીકળવા ઈચ્છતો હોય, તેનાથી વિરૂદ્ધ બહારથી અંદર ધક્કો આપવો તથા બહાર નીકળવા ન દેવો એ ચોથો પ્રાણાયામ છે. એ જ પ્રકારે પ્રાણને બહાર રોકી રાખ્યો છે, અંદર જવા ઈચ્છે છે, ત્યારે તેનાથી વિરૂદ્ધ અંદરથી બહાર ધક્કો આપવો તથા અંદર ન જવા દેવો ચોથો પ્રાણાયામ છે. આ જ ભેદને વ્યાસભામાં “સદારW: 'કહીને પણ સ્પષ્ટ કરવામાં આવેલ છે. ત્રીજો પ્રાણાયામ એકદમ શરૂ કરવામાં આવે છે. પરંતુ ચોથો એકદમ નહીં. પહેલાં બાહ્ય અથવા આભ્યત્તર પ્રાણાયામની પ્રક્રિયા ચાલી રહી હોય, પછી તેમનું અતિક્રમણ (નિવૃત્તિ) કરીને બંને પ્રાણવાયુઓને રોકવા ચોથો પ્રાણાયામ છે. ૫૧ નોધ - (૧) આ ચોથા પ્રાણાયામનું સૂત્રકારે સાર્થક “બાહ્યાભ્યન્તરવિષયાપી' નામકરણ કર્યું છે. કેમ કે એમાં બાહ્ય તથા આભ્યત્નર વિષયનો પૂર્ણાભ્યાસ થવાથી અતિક્રમણ (નિવૃત્તિ) કરવામાં આવે છે. પ્રાણાયામના લાભ - ત: ક્ષયને પ્રાણાવિરામ / ૧ર / સૂત્રાર્થ-(તત) પૂર્વોક્ત પ્રાણાયામોનાનિરંતર અભ્યાસથી (પ્રશાવUQવિવેકજ્ઞાનને ઢાંકનારું અવિદ્યાજન્ય કર્ભાશય (ક્ષય) ક્ષીણ ક્રમશઃ દુર્બળ શિથિલ અસમર્થ થઈ જાય છે. મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા- “અને એ ચારેયનું અનુષ્ઠાન એટલા માટે છે કે જેનાથી ચિત્ત નિર્મળ થઈને ઉપાસનામાં સ્થિર રહે.” ૨૨૪ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy