SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૭) અને તે વહેતા નાળામાં બે કલાક સૂધી એમને એમ રહેવા દેવી. પછી તે ત્યાંથી કાઢી પિણે કલાક સુધી વા ખાતી રહેવા દેવી, અને સૂકાઈ જાય એટલે તેનાં દીઠાં સૂધી ચીરી દાબડા કરી અંદ રની ગોટલીઓ કાઢી નાખવી. સવાનવ શેર સ્વચ્છ ધયલું મીઠું બે કલાક સૂધી તડકે સૂકવી ઝીણું વાટવું. અરઢ રૂપિયા ભાર સૂકાં મરચાં, નવ રૂપિયા ભાર હળદર, અને છ રૂપિયા ભાર હરડે, એ સર્વે જણસે વીસ રૂપિયા ભાર ઘીમાં જુદી જુદી સાંતળી ખાંડી પોણા પાંચ શેર મીઠા તેલમાં મેળવી દેવી. એક રૂપિયા ભાર હિંગ, દોઢ શેર મરી, અને બબ્બે રૂપિયા ભાર જાયફળ, જાવંત્રી તથા એલચી, આ રકમને ઝીણે ભૂકો કરી રાખો. તેવી જ રીતે બાર રૂપિયા ભાર કચરેલું લસણ, અને પોણા પાંચ શેર લીલા ચણાની છેડ કાઢી નાખેલી દાળ લેવી. પછી એ સર્વે જણ એકઠી કરીને એ મસાલે ઉપરની કેરીઓમાં ભર. ભરતાં મસાલો જે બાકી રહે તે પણ અંદર નાખી દે. ચૂલા ઉપર મેટું કલાઈવાળું તપેલું મૂકી તેમાં ત્રીસ રૂપિયા ભાર ઘી અને તેટલું જ મીઠું તેલ નાખવું. ઘી તથા તેલ કકળ્યું એટલે તેમાં ત્રણ રૂપિયા ભાર છોલેલું લસણ, ત્રણ રૂપિયા ભાર રાઈ, તેટલુજ જીરૂ તથા મેથી અને એક મૂઠી મીઠા લિંબડાનાં પાંદડાં નાખી તેના ઉપર કંઈ વાસણ ઢાંકવું. આ વઘાર થાય એટલે તેમાં ઉપરની કેરીઓ નાખી દેવી. પછી વળકો વળે એટલે તે અથાણું એક મોટી સ્વચ્છ બરણીમાં ભરી, ઉપર ઢાંકણું બબર ઢાંકી તે ઉપર સ્વચ્છ રૂમાલના કકડાથી તેનું માં બાંધી દેવું. પછી તે બરણી તડકામાં ચાળીસ દિવસ સૂધી મૂક્યાં કરવી. પછી તે બરણીનું મહે ઉઘાડી તેમાં તેલ માલમ પડતું ન હોય તે દેઢ શેર મીઠું તેલ કેરીઓ ઉપર રેડવું, અને બરણીનું મ્હોં પહેલાંની માફક ફરીથી બંધ કરી ચાળીસ દિવસ સુધી તેને તડકામાં મૂક્યાં જવી. ત્યાર પછી તે અથાણાને ઉપયોગ કરે. For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy