________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) પાંચ રૂપિયા ભાર આમલીમાં દસ રૂપિયા ભાર પાણી નાખી ઘળી તેમાંથી કૂચા કાઢી નાખવા. પછી તે પાણીમાં દસ માસા મીઠું નાખી વાસણ ચૂલા ઉપર મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં ઉપરનાં પીતાં નાખી બે જેસ આવે એટલે આ અથાણુમાં એક રૂપિયા ભાર ઘી, બે માસા જીરૂ, ચાર મરચાંના કકડા અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં એને વઘાર કરે.
૨. કારેલાંનું અથાણુ”.
પહેલા પ્રકાર. બે લાંબાં કારેલાંનાં પાતળાં પીતાં કરી, ચૂલા ઉપર હલ્લી મૂકી, તેમાં તે નાખી હલાવવાં. પછી ત્રણ રૂપિયા ભાર આમલીમાં છ રૂપિયા ભાર પાણી નાખી ઘોળી અંદરના કૂચા કાઢી નાખવા, અને તે પાણીમાં છ માસા મીઠું, ઉપરનાં શેકેલાં પીતાં અને છ માસા મેથીને ભૂકો નાખી અથાણું ચૂલા ઉપર મૂકવું. બે જેસ આવે એટલે તેને એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરૂં, ચાર સૂકાં મરચાંના કડકા, અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એનો વઘાર કરે.
બીજો પ્રકાર, ઉપર પ્રમાણે બે કારેલાંનાં પીતાં કરી તેને બે રૂપિયા ભાર ઘીમાં તળવાં. પછી તેમાં ત્રણ કાગદી લિંબુનો રસ, બે રૂપિયા ભાર ગેળ અને છ માસા મીઠું નાખી વાસણ ચૂલા પર મૂકવું, અને તેમાં એક રૂપિયા ભાર ઘી, ત્રણ માસા રાઈ, બે માસા જીરું, અને મીઠા લિંબડાનાં દસ પાંદડાં, એને વઘાર કરો.
૧ Tઘરના
વટ
(મદ્રાસ).
For Private and Personal Use Only