________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
ઉપાદ્ઘાત.
પ્રમાણે પરંપરાથી ચાલતા આવેલા અનુભવમાં વધારો થતાં થતાં વૈદ્યવિદ્યા એક વખત સંપૂર્ણપણાને પામી ગઇ હતી.
આપણા જૂના વૈદ્યકના ગ્રંથા જોતાં આપણુને જણાય છે કે જે અનુભવ આપણા પ્રાચીન આર્યોએ મેળવેલા છે તે ધણા છે. એમ છતાં પણ તેમાં સુધારા વધારાના અવકાશ નથી એમ કહેવાની અમારી મતલબ નથી. હજી તેમાં ઘણા સુધારા વધારા થઈ શકે એમ છે, પરંતુ જેટલા અનુભવ તેમણે મેળવી મૂક્યા છે તે પ્રથમ જાણી ગયા પછીજ તેમાં જો કાંઈ સુધારા વધારે થાય તે થઇ શકે; આ કારણથી વૈવિધાના પ્રાચીન ગ્રંથાના શેાધ કરી તેને અભ્યાસ કરવાની સર્વને અગત્ય છે.
*
વૈદ્યવિદ્યાના ગ્રંથા માત્ર વૈદ્યોનેજ કામના છે એટલુંજ નહી, પણ તે સર્વને અવલાકન કરવા જેવા છે. કહેવત છે કે प्रक्षालना द्विपकस्य યુવાવસ્પર્શનંવમ્'— કાદવમાં પગ ખાળીને પછી ધોઇ નાખવા કરતાં તેમાં પગ નજ મેળવા એ સૌથી સારૂં છે. ” તેમ વૈધક શાસ્ત્રના અજ્ઞાનથી રાગ થવા દેવા અને પછી તેને દૂર કરવાના ઉપાય કરવા તે કરતાં રાગ ઉત્પન્ન થવા ન દેવા એજ શ્રેષ્ટતર વાત છે. પણ વૈદ્યક શાસ્ત્રના ગ્રંથેનું સામાન્ય અવલોકન પણ કર્યાવિના આ રોગનાં કારણો ( હેતુ ) જાણવામાં આવતાં નથી, તો પછી થનારા રેગથી દૂર તે શી રીતે રહેવાય ? કેટલાકનું કહેવું એમ છે કે, વૈધક શાસ્ત્ર જેવા ગહન વિષયને ગુરૂ પાસેથી ખરાખર અભ્યાસ કર્યાવિના શુંઢના ગાંગ - મળ્યે ગાંધી થઇ બેસવા જેવું કેટલાક કરેછે— વૈધકના ભાષાંતરને ગ્રંથ હાથમાં લેઈ તેટલા વડેજ વૈધ થઇ જીવના જોખમવાળા વૈધકના ધંધા ચલાવવા મંડી પડેછે એ કેવળ હસવાજેવું અને ધિ:કારવા જેવું કામ છે. આ વાત અમારે પણ સર્વથા માન્ય છે. વૈદ્યના ગ્રંથાનાં ભાષાંતરો બહાર પાડનારને કાંઇ એવા હેતુ હાતા ન કે તે વાંચીને દરેક માણસે વૈધ થઇ પડવું! તેમના હેતુ નિરાળા હોય છે; અને તેમાંને! આ પણ એક હેતુ છે કે સાધારણ માણસ રાગાદિના હેતુ જાણીને રાગની ઉત્પત્તિથી દૂર રહી શકે. માણુસ આહાર વિહારના નિયમે જાણે તથા ખારાક વગેરેના ગુણ અવગુણુ જાણે તે એશક ઘણે દરજ્જે તે પેાતાનું અને પેાતાના કુટુંબનું હિત કરી શકે. વળી કેટલાક સામાન્ય રાગે! ઉપર એવા ઉપચાર હાય છે કે, વૈદ્યની સલાહ લીધા વિના પણ તે ઉપચાર જો વખતસર લાગુ કરવામાં આવે તે તેથી મનુષ્યના તે રોગ મટી જાય છે અથવા તેમાંથી બીજો ભયંકર રોગ થતાં અટકે છે. કેટલીક વાર મનુષ્યા એવી જગાએ પડેલા હાય છે કે જ્યાં તેમને કાઇ સારા વૈદ્યની સલાહ લેવાનું બની આવતું નથી; એવે પ્રસંગે તેમણે મેળવી રાખેલું સાધારણ નાન બહુ ઉપયાગી થાય
For Private and Personal Use Only