________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપોદઘાત.
માણસના શરીરની રચના અને તેની આ જગતમાં સ્થિતિ ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે, કોઈ પણ કાળ એવો ન હતો કે તેમાં મનુષ્યના શરીરની સ્વાભાવિક સ્થિતિમાં ફેરફાર થયા છતાં તેનો ઉપચાર કરવામાં નહિ આવતું હોય. ઘણા જૂના કાળથી આર્ય લેકેમાં વૈદવિધા અથવા આયુર્વેદ જાણું છે એ વાતને ઘણું પ્રમાણે છે; આર્યોના સૌથી પ્રાચીન ગણાતા વેદમાં વૈધવિધાને લગતા ઉલ્લેખ ઠામ ઠામ કરેલા જોવામાં આવે છે, તેમાં સેંકડો વનસ્પતિઓનાં નામ અને ઉપયોગ કહેવામાં આવ્યા છે, તેમાં વૈદ્યોનાં નામ અને તે સંબંધી અમુક અમુક શેધ કરનારનાં નામ તથા સ્તવન આપવામાં આવેલાં છે; તેમાં શરીરને લગતું વર્ણન તથા શરીરના અવયવોનું વર્ણન આ પવામાં આવેલું છે; અને છેવટે વૈદવિધા જ્યારે પૂર્ણ દશાને પહોચી ત્યારે આયુર્વેદ એ વેદના એક અંગરૂપ જૂ પણ લખાયો છે. તે A પશુ પક્ષીઓ પણ પિતાને શરીરમાં થયેલા અમુક વ્યાધિઓનું નિદાન જાણ્યા વગર કે સંપ્રાપ્તિ સમજ્યા વગર તેની ચિકિત્સા કરે છે એમ ઘણી વાર જાણવામાં આવ્યું છે. એ તેમની ચિકિત્સા એટલી સ્વાભાવિક છે કે તેને વૈદવિધા કે ચિકિત્સાનું નામ આપણે આપતા નથી, પણ તેજ સ્વભાવને અનુસરીને મનુષ્યો જ્યારે ચિકિત્સાના નિયમો ઠરાવે છે ત્યારે આપણે તેને વૈધવિધા કહિયે છિયે. મનુષ્યની પ્રવૃત્તિ એ વિદ્યાના શેધ તરફ કેવી રીતે થઈ તેનું સવિસ્તર વર્ણન એક જૂદા નિવી થી જ થઈ શકે, તથાપિ આર્યાવર્તમાં વસનાર આયોને તેને શોધ કરવાને ઘણું અનુકૂળતાઓ હતી એ તો સર્વ કોઈના સમજ્યામાં ઝ. આવે એવી છે. વેદમાં પશુઓના યજ્ઞ કરવાની વિધિ કહેવામાં આવ્યા છે તથા તે પશઓને કેમ કાપવાં કેમ ચીરવાં એ તેમને તે કારણથી વિદિતજ હોવું જોઈએ. આ પ્રસંગથી તેમને પ્રાણીના અંગના જૂદા જૂદા આંતર અવયવો તથા તેને ઉપયોગ જાણવામાં આવેલો હોવો જોઈએ એટલું જ નહિ, પરંતુ અંગેનો છેદ ભેદ કરવાને શસ્ત્રો કેવાં જોઈએ તેની બનાવટ પણ સૂઝેલી હેવી જોઈએ. આયવત જુદા જુદા પ્રકારની એટલી બધી વનસ્પતિથી ભરપૂર છે કે આ જેવા તીક્ષણ નિરીક્ષા કરનારની દષ્ટિ તેમના ગુણદોષ તપાસવા તરફ સહજ દેરાય એ બનવા જેવું છે. જે જે વિષય જેના જેના જાણવામાં આવ્યો છે તે વિષય તે પિતાના શિષ્યને કહેતો ગયે અને એ
For Private and Personal Use Only