SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭) જોઈએ, અને ભેજન વખતે મન આનંદમાં રાખી તે જન શિવાય બીજા કેઈવિચારમાં ગુંથાયલું હોવું ન જોઈએ. ભેજન વખતે સુસ્વર વાઘ શ્રવણ કરવા અને આનંદદાયક તથા વિનોદની વાતે સાંભળવી. ભેજન નિરાંતે કરવું જોઈએ. જમતા પહેલાં નિદાન અડધો કલાક અને પછી એક કલાક સુધી કઈ પણ પ્રકારને વિશેષ શ્રમ કરે નહીં. ભેજનના પદાર્થ તૈયાર કરવામાં તથા પીવામાં જે પાણી વાપરવાનું હોય છે તે નિર્મળ અને પાચન કરવામાં ઉત્તમ હોય એવું જોઈએ. પાણી ખરાબ હોય છે તેથી કરીને સંગ્રહણ, પથરી વગેરે જાતના રેગ થાય છે. ભૂખ કકડીને લાગે અને ખાધેલું અન્ન પાચન થાય, તેમજ શરીર નિરોગી રહે તેટલા માટે વ્યાયામની ઘણી અગત્ય છે. દરેક માણસે પ્રાતઃકાળે અને સાયંકાળે થાક ન લાગે અને ઘણે શ્વાસ ન ચઢે એ વ્યાયામ હમેશ કરો. - બાલ્યાવસ્થામાં માણસની શારીરિક વૃદ્ધિ અધિક હોય છે. જે પ્રમાણમાં વૃદ્ધિ જાસ્તી હોય છે તે જ પ્રમાણમાં ભૂખ અને પાચનશક્તિ પણ જાસ્તી હોય છે, માટે બાલ્યાવસ્થામાં છેકરાંને વખતેવખત વયના પ્રમાણમાં દિવસમાં ચાર પાંચ વાર ખાવાનું આપવાની જરૂર પડે છે. વનાવસ્થામાં તે વૃદ્ધિ કિચિત કમી હોય છે, તેટલા માટે તે વખતે એટલે સુમારે બારથી ચોવીસ વર્ષની ઉમર સૂધી નિદાન ત્રણ વખત ખાવાની જરૂર છે. તે પછીની ઉમરથી પંચાવન વર્ષ સૂધી બહુધા બે વાર ભેજન કયુ હોય તે બસ થાય છે. પરંતુ જેને પ્રાતઃકાળે તથા ત્રીજા પહેરે ભૂખ લાગતી હોય તેણે અવશ્ય અ૫ આહાર (નાસ્તો) કરવે. પંચાવન વર્ષની ઉમર પછી માણસની ભૂખ કમી થતી જાય છે ત્યારે તેણે એક વખત જમવાનું રાખવું સુખરૂપ લાગે તે તેમ કરવું. સારાંશ કમી જાસ્તી વખત ખાવું અથવા ભેજન કરવું એ માણસે પોતાની ભૂખ અને પાચનશક્તિ ઉપર અવલબીને રાખવું જોઈએ. જેમકે ઠંડા પ્રદેશોમાં ઠંડીના વખતમાં ભૂખ For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy