SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) છે. પછી ખાંડણી વતી તેને ખાંડી સૂપડે ઝાટકી સ્વચ્છ કરવામાં આવે છે. ત્યાર પછી તે દળીને તેના લેાટના ખાવાના પદાર્થો બનાવે છે. આ પદાર્થ કરી પાળનારાને કામના નથી. અડદના લોટની શટલી':--પશ્ચિમ દિશામાં આવેલા બગલાર, અલ્લારી, કડાપ્પા વગેરે જીલ્લાઓનાં ગામામાં પાકતા અડદના લોટની રોટલી ખાવી. ગુણ:-થંડી લાગી શરીરમાં જુસ્સો આવે છે; રૂચિકર છે; શરીરની કાન્તિ વધે છે; શરીરમાં જોર તથા ધાતુનો વધારો થઇ ગુદા પણ મજબુત થાય છે; પરંતુ અગ્નિ મઢ થવાથી પેટ ચઢેછે અને વાયુનુ જોર વધેછે. ઉપાયઃ-~ કુદના અને જીરૂં ખાવુ. છ. કળથી, કળથી લાવી શેકીને દળવી. શીતજ્વર વાળાને આ લેટ ઘણા ગુણકારક છે. આ લોટમાં મીઠું તથા માખણમાંથી કાઢેલું તાજું ઘી મેળવી રાગીને ખાવા આપવાથી તેને ફાયદો થાયછે. આ ધાન્ય કરી પાળવામાં ખવાય તેવું નથી. છ તાલા કળથી લઈ તે એક માટલામાં નાખી, તેમાં ત્રીસ તાલા પાણી રેડી ત્રણ કલાક સુધી ધીમે તાપે તેને સિજવા દેવી. પછી તે બીજા વાસણમાં ગાળી કાઢવુ, અને તે ગળેલા પાણીમાં ત્રણ રૂપિયા ભાર મરી, થોડુ મીઠુ, અને થોડું' આમલીનું પાણી રેડી દઈ તે વાસણ લાપર મૃકવું, ને નીચે ધીમે તાપ કરવેર પછી કડછી તપાવવા મૂકી તે તપે એટલે તેમાં એક રૂપિયા ભાર તાજું ઘી નાંખવું. શ્રી ઉનુ થાય કે તેમાં ત્રણ માસા રાઇ નાખી તે વઘાર ઉપરના પદાર્થને દેવા. આ પદાર્થ દરરોજ સવારના પહારમાં કરીને ખાવા, એટલે તેથી શીતજ્વર દૂર થશે. ૧ ૩ુદ્ર માનિન ી ( મદ્રાસી ). સ્ વા∞ (મદ્રાસી ). For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy