________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) બાંધાના માણસને તે ગુણ કરે છે, એથી સુસ્તી લાગે છે કેઠામાં વાયુ પેદા થાય છે, અને કલેજાનું કૌવત કમી થાય છે.
૫. મગ'. મગ લાવી તેને તડકો ખવડાવી, ભરડી, તેની દાળ કરવી. પછી તેને શેકી નાખી દળી તેનો લેટ રાખી મૂકો, ને જોઈએ તે વખતે તેમાં ઘી ને ખાંડ નાખી ખાવ. તેમજ આ લેટ પલાળી ભાત સિજતો હોય તેમાં નાખી ખાવો. આ લોટના જે ગુણકારક બીજે પદાર્થ એકે નથી. કારણ શરીરમાંથી ગરમી કાઢી નાખી તે પિત્તને સમાવી દે છે. કાળા મગ શુભ કાર્યમાં વપરાતા નથી. લીલા મગ લાવી થોડું તેલ દઈ તેને તડકે ખવડાવવો. પછી તેને ભરડી ખાંડી ઉપરનાં છાલાં વગેરે ઝાટકી નાખી તેની સ્વચછ દાળ કરવી, ને પછી તે શેકીને દળી તેને લોટ રાખી મૂકવો. આ લોટમાં તાજું ઘી તથા ખાંડ મેળવી તેના લાડુ કરી આવા. એથી શરીરને બાંધે મજબુત થાય છે.
મગની અથવા અડદની દાળની કાંજી:-પશ્ચિમ દિશામાં બંગલેર, બલારી, કડાપા, શિત્તર વગેરે જીલ્લાનાં ગામોમાં પાકતા મગ અથવા અડદ લાવી તેને ભરડી સ્વચ્છ દાળ કરવી. પછી તેને ચોખાની સાથે ભેળી કાંજી કરીને પીવી. ગણ–ચંડી લાગવાથી શરીરમાં જુસ્સો આવે છે. ખાવામાં રૂચિ પેદા કરે છે, અને ગરમી દબાવે છે. શક્તિ કમી થઈ હોય તેને, ગરમ પ્રકૃતિ વાળાને તથા તાપથી પીડાતાં માણસને તે ગુણકારક છે. તેમજ વળી આ કાંજીમાં કાજુ નાખ્યા હોય તો તે વધારે પિષ્ટિક થાય છે.
૨. અડદ*, અડદ લાવી તેને તડકે ખવડાવી ભરડી નાખવામાં આવે ૧ પ્રથા (મદ્રાસી). ૨ ૩ (માર્ત )
For Private and Personal Use Only