________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) - ૧ રૂ. ભાર મીઠું.
૫ રૂ. ભાર કાંદા. એક શેર કાળાં લાંબાં કુમળાં વેગણને દેવતામાં ભૂજી છેલ કાઢી નાખી છૂંદી નાખવા; અને તેમાં એક રૂપિયા ભાર મીઠું, તેટલું જ ઝીણું સમારેલું આદુ, પાંચ રૂપિયા ભાર કાંદાનાં પીતાં, તેટલી જ સાફ ધોયેલી બેદાણું દ્રાક્ષ અને અચ્છર ચોસલાંવાળું દહીં નાખી કાલવવું. તેમજ તેમાં બે માસા તજ, તેટલાંજ લવિગ, તેટલી જ એલચી અને તેટલાંજ મરી, એ મસાલો વાટી નાખો. પછી એક કલાઈવાળા વાસણમાં પાશેર ઘી અને પાંચ રૂપિયા ભાર કાંદાનાં પીતાને વઘાર કરી તેમાં ઉપરનું ભરત નાખી દેવું, અને તેને હલાવી હલાવ કરી તેમાંનું પાણી બળી જાય એટલે વાસણ નીચે ઉતારી લેવું.
આજે પ્રકાર, એક શેર વેગણનાં દીટાં કાઢી નાખી તેને એક હાંલ્લીમાં દીટાંના ભાગ તરફથી ઊભાં મૂકી ઢાંકી દેવાં. પછી આ હાલીને ચૂલા પર મૂકી નીચે બળતું કરવું. વેગણ ચઢી જઈને પિચાં પડે એટલે બહાર કાઢી લઈ, તેના ઉપરનાં છોતરાં કાઢી નાખી, તેને છૂંદી તેમાંના રેસા અને બિયાં કાઢી નાખવાં. પછી તેમાં ઉપર પ્રમાણે સામાન નાખી ઉપરની બતાવેલી રીતે ભરત તૈયાર કરવું.
(ફારશી રીતનાં.)
૬. ગુજરાતી ભરત. ૧ શેર કુમળા રિંગણું.
૨ માસા મરી, - વા શેર ઘી.
૧ તોલા આદુ'. છે શેર ખડબાવાળું દહીં. ૩ાા તેલા મીઠું. * ૨ માસા તજ, ,
૦ શેર કાંદા.
For Private and Personal Use Only