________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) ઉપર કકડે બાંધી એને એસાવી કાઢવે, ને થોડું પાણી અને દર રહેવા દઈ ચૂલામાંના અંગારા થડા બહાર કાઢવા. આ અંગારા ઉપર ભાતનું તપેલું ઉતારીને મૂકવું ને તેના ઉપર ઢાંકણું ઢાંકવું. થોડીક વાર પછી કડછીને દાંડે ભાતમાં ઘાલી, તેમાં ઓસામણ રહ્યું નથી, તથા તે છૂટે ને સુંવાળે થયે છે એવું જણાય ત્યારે તપેલું નીચે ઉતારી તેમાંથી ભાત પીરસવો.
નીચે જણાવેલા અવગુણ કરનારા આઠ પ્રકારના ભાતથી આ ભાત જુદો પડે છે ને નિરોગી છે, તેથી એને રાજયમાન્ય ભાત કહે છે.
આઠ પ્રકારના ભાત અને તેના અવગુણુ. ૧. આસટ ભાત –(જેમાંથી ઓસામણ નિકળતું નથી તે ભાત) આ ભાતમાં ઓસામણ વધારે હોય છે; એ ખાવાથી આમ રોગ થાય છે.
૨. કણકીનો ભાત':—આ ભાતના દાણા આખા હતા નથી. આ ખાવાથી ગુમ રેગ થાય છે.
૩. ચેળ વગેરે જીવડાં અથવા વાળવાળા ભાત – આથી ઘણી ગરમી ઉત્પન્ન થાય છે અને તેથી હેડામાંથી લાળ ગળે છે.
૪. કાચી કણીવાળો ભાત –એ ભાત ખાવાથી શ્વાસ થાય છે.
પ. અધે ચઢેલે ને અધ નહીં ચઢેલે એ ભાત–આનાથી લેહીવિકાર થાય છે.
તળે પોપડી આઝેલા ભાત –આ ભાતથી ધાતુવિકાર થાય છે.
૭. સૂકો, કઠણ, અને બેઠેલો ભાત –આવા ભાતથી વિર્ય નાશ પામે છે.
૧ વિજયા માત (માઠી).
For Private and Personal Use Only