________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૧) અને છ માસા મીઠું, એ ત્રણ જણ દોઢ શેર પાણીમાં મેળવીને રહેવા દેવી.
ચૂલા ઉપર કલાઈનું એક વાસણ મૂકી, તેમાં સાડા સાત રૂપિયા ભાર ઘી નાખવું. ઘી કકડતાં વાર તેમાં એક રૂપિયા ભાર અડદની દાળ અને મીઠા લિંબડાની એક ડાંખળીનાં પાંદડાં નાખી, તે વઘારમાં પંદર રૂપિયા ભાર સમારેલા કાંદા તથા ત્રણ રૂપિયા ભાર છોલેલું લસણ નાખી હલાવવું, ને લાલ થતાંજ તેમાં ઉપરનું આમલીનું પાણી રેડવું, અને તરતજ ઢાંકણું ઢાંકી દેવું. પછી ઉભરો આવે એટલે વાસણ નીચે ઉતારવું અત્યાર પછી ચૂલા ઉપર બીજું વાસણ મૂકી, તેમાં પાંચ રૂપિયા ભાર ઘી નાખી, તેમાં કારેલાંનાં પીતાં નાખવાં. પછી તેને હલાવી તેમાં ચઢાવી રાખેલી ચણાની દાળ નાખી ફરીથી હલાવવું. પછી તેમાં ઉપરનું કેળબુ રેડી, એક ઉભરે આવતાં તેમાં પાણી છલા નાળિયેરનું દૂધ કાઢી નાખવું, ને પછી તેને હલાવી પિરસવું. આ કેળબુ ખાધાથી ઝાડે સાફ ઉતરે છે.
૪. નાનાં કારેલાંનું કેfબુ'. (૩૦ રૂ. ભાર કારેલાં. ૧ રૂ. ભાર મીઠું.
૩ રૂ. ભાર આમલી. ૧ રૂ. ભાર મેથીને ભૂકે. ૬ રૂ. માસા મીઠું. ૧ રૂ. ભાર ચોખાને લેટ. ૨ રૂ. ભાર ઘી.
૨ માસા જીરૂં. ૧ માસ મેથી. ૧૦ સૂકાં મરચાં.
૧ મીઠા લિંબડાની ડાંખળી. - ત્રીસ રૂપિયા ભાર નાના કારેલાંનાં દીટાં કાઢી નાખી, તેમાં દેઢ શેર પાણી અને એક રૂપિયા ભાર મીઠું નાખી સિઝવી દેવાં.
નિષ પાવાવથ કો (મદ્રાસી).
For Private and Personal Use Only