SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરાઠી સૂપશાસ્ત્ર અંક ૧ લો ભાગ ૧ લાની પ્રસ્તાવના સુખ મેળવવાની બાબતમાં મનુષ્ય માત્રના પ્રયત્ન હમેશાં ચાલતા હોય છે, અને તે મળવું તેની શરીરસંપત્તિ ઉપર આધાર રાખે છે. જે પ્રમાણમાં શરીર નિરોગી અને સુદઢ હોય તે પ્રમાણમાં માણસને ઓછુંવતું સુખ મળે છે. જેનું શરીર નિરેગી અને બળવાન હોતું નથી તેનું જીવવું વ્યર્થ છે. શરીરસંપતિ સારી રાખવી એ મનુષ્યનું પહેલું કર્તવ્ય છે. જે લેકે આ કર્તવ્ય તરફ દુર્લક્ષ કરે છે તેઓ જાણીબુજીને પિતાનું નુકસાન કરી લે છે. આટલા માટે દરેક માણસે આ મુખ્ય કર્તવ્ય તરફ લક્ષ આપી પોતાના શરીરનું પિષણ કયી રીતે સારૂં થશે તે સંબંધી વિચાર કરવો જોઈએ અને તેની સાથે આપણે ખાવાના પદાર્થ પિષ્ટિક તથા પાચન થવાને રૂચિકર હોવા જોઈએ. પદાર્થ રૂચિકર હોય તો ખાતી વખતે મોંમાં પાણી છુટે છે, અને તેથી કરીને ખાધેલું અન્ન સારી રીતે પાચન થાય છે. જે પદાર્થ આપણને ભાવે નહીં તે ખાવા નહીં, કારણ જે પદાર્થના સેવનથી મનને સંતેષ મળતો નથી તે ખાવાથી તેનું પરિણામ ઈષ્ટ થતું નથી. ખાવાના પદાર્થ રૂચિકર હોવાની સાથે ભિન્ન ભિન્ન તરેહના હેવા જોઈએ. એકજ પદાર્થ રોજ ખાવામાં આવવાથી તેના પર અપ્રીતિ થાય છે. તેમજ જે પદાર્થને અભાવ થ ન હોય તે ખાવાથી સંતોષ અને સુખ થાય છે. મીઠા, ખાટા, તીખા વગેરે ખટરસવાળા પદાર્થ આપણા ખાવામાં આવવા જોઈએ. અન્નને લીધે શરીરમાં બે પ્રકારનાં કાર્યો બને છે. એક શરીરનું પિષણ અને બીજુ શરીરમાં ઉષ્ણતા. જે પદાર્થને આપણે અન્ન ગણ ખાઈયે છિયે તેમાં આ બન્ને ગુણો હોય છે. માત્ર में शी न्य वान For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy