________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવકારથી ચૌદ રત્નો થાય (મલે) છે. નવકારથી સેંકડો ગુણ વિસ્તાર પામે છે. નવકારથી શ્રેષ્ઠ મંગલ, ધન અને પુણ્ય થાય છે, નવકાર જેવું બીજું કાંઈ નથી. ૫ नवकारई राणा पुरुइपाल. वर रुप वण गुणसय विसालु नवकारइ वरगयगामिणीउ, संपज्वहिं पवरठ कामिणीउ ॥ ६ ॥
નવકારથી પૃથ્વી પાલક રાજા થાય છે, નવકારથી શ્રેષ્ઠ રૂ૫ ઉચ્ચવર્ણ (ક્ષત્રિયાદિ) તથા વિશાલ સેંકડો ગુણો થાય છે. નવકારથી પ્રવર ઉત્તમ ગજગામિની કામિનીઓ (સ્ત્રીઓ) મલે છે. ૬ नवकारि गयघड बारि हुति, दप्पुदधुर साहण सपंडति । नवकारिहिं सामियम वंदणाहं नर हुति सत्तिआणंदणाहं ॥ ७ ॥
નવકારથી ગજઘટાઓના મદજલ હોય છે, (આંગણે હાથીઓ હોય છે) નવકારથી દર્પથી ઉદ્ધત એવી સેનાઓ પ્રાપ્ત થાય છે, નવકારથી વંદનીય અને સ્વામી થાય છે, નવકારથી માણસો શક્તિ અને આનંદવાલા થાય છે. ૭
For Private And Personal Use Only