________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4
સંશોધન, સંપાદન અને ઉપયુક્ત હસ્તપ્રતિઓ:
આ પુસ્તકના સંશોધન-સંપાદનમાં, નીચે મુજબની ત્રણ હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કર્યો છે.
૧ પ્રાચીન પુસ્તકોના સમૃદ્ધ ભંડાર માટે પ્રસિદ્ધ ‘ડહેલાનો ઉપાશ્રય’ અમદાવાદની પ્રતિ. પત્રસંખ્યા ૮૩. પ્રત્યેક | પૃષ્ઠમાં ૧૬ થી ૧૮ પંક્તિઓ છે. આ પ્રતિ, સમયની દૃષ્ટિએ અતિપ્રાચીન છે, ગ્રન્થરચના પછી, પહેલા સૈકામાં લખાયેલી છે. લીપી પડિમાત્રા છે. પ્રતિ, પ્રમાણમાં ઘણી શુદ્ધ છે. આ પ્રતિમાં અવરહ તથા ઈ, ઉ વિગેરે સ્વરોની પૂર્વના સ્વરવ્યંજન સાથે થયેલી સંધીને સમજવાનાં ચિહ્નો પણ ઘણે સ્થલે લખ્યાં છે. સંશોધન અને પાઠશુદ્ધિ માટે આ પ્રતિને જ અમે વિશેષ ઉપયોગ કર્યો છે. આ પ્રતિની લેખન-પુપિકા આ પ્રમાણે છે.
"खस्ति संवत १४४७ वर्षे माघ सुदि १३ गुरुवासरेऽयेह श्रीभृगुक्षेत्रे महामलिक श्रीइशाख विजयराज्ये कायस्थज्ञातीय महं तुंगासुत महं शउलेन धीमुनिसुव्रतखामिचरित्रस्य पुस्तकं लिखितं शुभं भवतु कल्याणं भूयात् लेखकपाठकयोः श्रीसंघस्य मांगल्यमस्तु । श्रीः श्रीः श्रीः (११) श्रीभृगुकच्छवासि प्राग्बाटशातीय सालीमाकेन श्रीज्ञानदर्शनचारित्राराधनार्थ लेखयामास । शुभं भवतु श्रीसंघस्य ॥
૨ સુબાજી રવચંદ જેચંદ જૈનવિદ્યાશાલા-અમદાવાદ સ્થિત ૫, તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના સંગ્રહની પ્રતિ. પત્ર સંખ્યા ૧૦૧. આ પ્રતિ નવીન લખાયેલી છે. પૂ. આચાર્યશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરજી | મહારાજાની કૃપાથી આ પ્રતિ પ્રાપ્ત થઈ હતી. લેખનપુષિકા આ પ્રમાણે છે :
"इति श्रीमुनिसुव्रतखामीचरित्रम् संपूर्णम् । विक्रम सं. १९९२ मिति चैत्र शुक्र १५ वार सोमवार नगर नागौरमध्ये लिखितम् । पुस्तकमिदं षोडशजिनेशप्रसादादि अनुप्रमित जिनालयविभूषित श्रीवीरमग्रामनगरनिवासिना धासवरेण भूराभाइतनुजेन केशवलालेति नाना लेखयित्वा स्थापितमाचार्यश्रीमद्विजयसिद्धिसूरीश्वरजी शास्त्रसंग्रहे ॥ छ ॥ छ । छ ।
૩ જૈનાનન્દ પુસ્તકાલય–સુરતમાં રાખવામાં આવેલા “આચાર્યશ્રીમવિજય કમલસૂરીશ્વરજી “ifીન દલિત પુરોદ્વાર પંકની નં. ૧૦૩૮ પત્રસંખ્યા ૧૪૭ વાલી પ્રતિ. આ પ્રતિ પણ નવીન લખાયેલી છે. સં. ૧૯૯૮ ના પોષ સુદિ ૧૧ ના રોજ સુરતમયે લહિયા વલ્લભોશીએ લખી હતી.
9X-PM-PA-PA-Ke--
-
For Private and Personal Use Only