SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ છો. ~ ~ ~~~ ~ કિલ્લે મજબૂત હોવાથી ફાવી શકે નહીં. છેવટે તેનું કારણ જાણવાને માટે ગુપ્ત દૂતને મોકલ્યા. તેઓ આખા નગરમાં ફરવા લાગ્યા. તેમને લેકે ઘણું આબાદ દેખાયા. નગર ઘેરાયેલું છતાં કોઈ ભયભીત અથવા બૂમ પાડતું માલુમ પડયું નહીં. કારણ સર્વ કેાઈ પોતપોતાના ધંધા રોજગારમાં મચેલા હતા. નગરચર્ચા જોઈ પાછા ફરતાં તેઓ સુમતિ મંત્રીના ઘરના ઝરૂખાઆગળ આવ્યા. આ વખતે મંત્રી ઝરૂખામાં બેસી કન્યા સાથે વાત કરતો હતો, તે સાંભળવા ઉભા રહ્યા. તેમને જોઈ મંત્રીપુત્રી બેલી કે, “પિતાજી, આ વાણિયા અહીં કેમ ઉભા છે?' મંત્રીએ કહ્યું, “બેટા, એ વાણિયા નથી પણ આપણે નગરને ઘેરે ઘાલનાર શંભલીશ રાજાના દૂત છે. તારો જન્મ થયો ત્યારથી તેઓ અહીં આવેલા છે. તું સેળ વર્ષની થઈ, તારૂં લગ્ન થવ્યું અને તેને પુત્ર પ્રાપ્ત થશે તો પણ તે રાજા અહીં પડી રહ્યા છે તે ત્યાંથી છાવણીમાં ગયા અને શંભલીશને સાંભળેલી વાત જાહેર કરી. બીજે દિવસે ચિત્રાંગદ રાજાની માનીતી બર્બરિકા નામની ગુણકાએ શંભલીશ ઉપર એક કાવ્ય લખી મે કહ્યું કે, आरोहसचलेश्वरं किमु शिशुः पोतोज्झितः किं तर । संभोधि किमु कातरः सरभसं संग्राममाक्रामति ॥ शक्येष्वेव तनोति वस्तुषु जनः प्रायः स्वकीयं श्रमं । तदुर्गग्रहणग्रहे ग्रहिलतां त्वं शंभलीश सज ॥ १ ॥ “શું બાળક પર્વત પર ચડી શકે? નાવ છોડી કોઈ મહાસાગર તરી શકે? કદી કાયર પુરૂષ રણસંગ્રામમાં જીતી શકે ? સમજુ માણસ હોય તે તે શક્ય વસ્તુમાં જ શ્રમ કરે. માટે તું આ દુર્ગ લેવાની હઠ છોડી દે. આ કાવ્ય વાંચી રાજાને મન લાગણી થઈ, તેથી તેણે તે વેશ્યાને દ્રવ્ય આપી ડી. એટલે તેણીએ નગર લેવાની યુક્તિ બતાવી. તે એવી કે, ચિત્રાગંદ રાજા ભેજન વખતે નગરનાં સર્વ દ્વાર ઉઘાડાં મૂકે છે તે તક જ સધાય તો ફતેહ થાય. નહીં તે ઇંદ્રથી પણ કાળાંતે તે કબજે આવે તેમ નથી.” શંભલી For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy