SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કુમારપાલ પ્રબંધ. નથી. ” ગુનાં એવાં નિરઅભિમાન યુક્ત વાક્યામૃતથી સર્વનાં મન ઉલ્લાસ પામ્યાં અને તે સ્તુતિ ભણતા રાયણ વૃક્ષ નીચે આવ્યા. આ વખતે ગુરુ બેલ્યા કે, “આ ઝાડ નીચે પૂર્વ નાભિરાજાના પૂત્ર શ્રી ઋષભદેવ ભગવાન સમવસર્યા હતા અને તે કારણથી આ ઝાડ સર્વે તીર્થોમાં ઉત્તમ તીર્થ તરીકે વાંદવા યોગ્ય છે. એનાં ડાળ, પગ અને ફળ એ દરેક ઉપર દેવતાનું સ્થાનક છે માટે ધમાં જન પ્રમાદથી પણ એનાં શાખાદિનુ છેદન ન કરે. જયારે કેાઈ પુણ્યશાળી સંઘપતિ નું, રૂપુ, મોતી અને ચંદનાદિથી એની પૂજા કરે છે ત્યારે એનામાંથી સર્વ વિધ્રને નાશ કરે એવું દુધ ઝરે છે અને તે સંઘપતિનો આવતે ભવ સુખદાયી છે એમ સૂચવે છે. આપ આપ પડેલાં એનાં સૂકાં પાંદડાં પણ પૂજવામાં આથી વિદ્યાનું હરણ કરી સુખ આપે છે. એની પૂજાના પ્રભાવથી શાકિની, ભૂત, વૈતાલ, દુષ્ટ જવર અને વિષાદિને નાશ થાય છે. એની સાક્ષી રાખી પરસ્પર મિત્રાચારી કરનારા પરભવમાં જગદૈશ્વર્યથી ભરપૂર સુખ પામે છે. એના પશ્ચિમ ભાગમાં સર્વ કાળમાં દુઃખે કરી પામવા ગ્ય રસપી (વાવ) છે. તેના રસના વેગથી લેઢાનું સેનું થાય છે. અષ્ટમના તપની સાથે ભાવ યુક્ત પ્રભુની પૂજા પ્રતિ વિગેરે કરવાથી કોઈ વખતે કઈ કઈને તે રસની પ્રાપ્તિ થાય છે. વળી આ ઈન્ટે કરાવેલી શ્રીયુગાદીશ્વરની પાદુકાઓ (પગલાં) છે. તેમની ઉપાસના છને સ્વર્ગ અને મિક્ષનાં સુખ આપે છે. કહ્યું છે કે, શ્રી ઋષભદેવ, પુંડરીકસ્વામી, રાયણ, પાદુકાઓ અને શ્રી શાંતિનાથ એમની મંગળપચાર પૂર્વક સૂરિમંત્રવડે મંત્રેલા ગંધ પુષ્પાદિથી યુક્ત શુદ્ધ જળના ૧૦૮ કુંભવડે સ્નાન કરનાર પરભવમાં જયશ્રી, સર્વ પ્રકારનાં કામ, આનંદ, દોષનિગ્રહ અને ઉત્તમ પ્રકારના ભેગ પ્રાપ્ત કરે છે.” આ સર્વ ઉપદેશ સાંભળ્યા પછી રાજાએ રાયણ અને પાદુકાએને મેતી વિગેરેથી વધાવી પૂજા કરી અને ત્રણ પ્રદક્ષિણા પૂરી For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy