________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४२
શ્રી કુમારપાલ પ્રબંધ.
જેના દર્શનથી પાપસમૂહને નાશ થાય છે, જેને વંદનથી નરક અને તિર્યંચ ગતિનું નિવારણ થાય છે, જેના સંધપતિ તીર્થકરની પદવી પામે છે, જેના ધ્યાનથી હજાર પલ્યોપમનાં પાપ મટે છે, જેના દર્શનનો અભિગ્રહ માત્રથી લાખ પલ્યોપમનાં દેવ દૂરે ટળે છે અને જેની યાત્રા નિમિત્ત માર્ગમાં ચાલવાથી સાગરપમનાં દુષ્કર્મને ક્ષય થાય છે તે વિમલાચળ જયવંત વર્તે. જે સમ્યગ્દષ્ટિ જીવ આ તીર્થ ઉપર એકબુત અને ભૂમિશયનની સાથે જિતેંદ્રિય થઈને બ્રહ્મચર્ય પાળે, પડાવશ્યક પૂર્વક ત્રિકાળ દેવપૂજામાં આદર કરે, ક્રોધાદિ કષાય અને ફૂટ ક્રિયાને ત્યાગ કરી સત્ય અને મધુર વચન કાઢે અને હમેશ શર્માદિ ગુણના વેગે શીતલ રહે તેને ત્રણ લેકના સર્વ તીર્થોની યાત્રાનું ફળ થાય એ નિઃસંશય છે.
આ અવસર્પિણી કાળમાં શ્રી શત્રુંજય તીર્થના પહેલા સંઘપતિ : શ્રી ભરત ચક્રવર્તી થઈ ગયા. તેમણે તે તીર્થ ઉપર રાશી મંડપોથી અલંકૃત ઐક્યવિભ્રમ નામ રત્ન અને સુવર્ણમય પ્રાસાદ કરાવી શ્રી ઋષભદેવની રત્ન અને સુવર્ણમય પ્રતિમાઓ પધરાવી. એ તીર્થના અસંખ્યાતા ઉદ્ધાર થઈ અસંખ્યાતી પ્રતિમાઓ બદલાઈ ગઈ છે. એના ઉપર કેટયાદિ મુનિયે સિદ્ધિપદને વર્યા છે. શ્રી ઋષભદેવના વંશમાં અને ભરતચક્રવતીના રાજયક્રમમાં સૂર્યશા, મહાયશા અને
અતિબલાદિ ત્રણ ખંડના ભક્તાઓ પણ ભારતની પેઠે સંધપતિ થઈને ઘણા ઇક્વાકુ રાજકુમારે સાથે ત્યાં જઈ કેવળ જ્ઞાન પામી મેક્ષે ગયા છે. પચાસ લાખ કરોડ સાગરોપ સુધી સર્વાર્થસિદ્ધથી અંતતિ ચાર લાખ વિગેરે અસંખ્યાતા શ્રેણિયોમાં અહીં મુક્તિએ ગયા છે. વધારે શું? અન્ય સ્થળે કરડે વર્ષ સુધી તપ, દયા અને
ન વિગેરે કરવાથી જેટલું પુણ્ય ઉપાર્જન થાય તેટલું પુણ્ય શ્રીશ. ગુંજપર તેવી ક્રિયાઓ એક મુહૂર્ત માત્ર કરવાથી થાય છે. એ તીર્થ નું નામ માત્ર સાંભળવાથી સર્વ પાપ પલાયમાન થાય છે. માટે હે પ્રજાવકશિરોમણિ ચાલુક્ય ! તમે સંઘપતિ થઇને એ મહાતીર્થદિની યાત્રા કરે,
આ સિદ્ધિ
યશ
સંઘપ
For Private and Personal Use Only