SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વતંત્ર સંસ્થાન મેમીનખાન બીજાનું ચારિત્ર્ય મેમીનખાન બીજાએ ખંભાતનું રાજ્ય લાંબી મુદત સુધી કર્યું. એ વખતે પણ દેશના સંજોગો એમના પિતાના સમય કરતાં સારા નહોતા. કદાચ વધારે ખરાબ સંજોગ હશે. દિલ્હીની નામની અને આશ્વાસન આપવા જેટલી સત્તા પણ રહી નહોતી. પાણપતની છેલ્લી લડાઈ પહેલાં મરાઠાઓનું મહારાજ્ય હિંદમાં સર્વોપરિ હતું. અટકથી કટકા સુધીના વિશાળ મહારાજ્યના માલિક સાથે ખંભાત સંસ્થાનના નવાબને વારંવાર અથડામણમાં આવવું પડતું. એવા કસોટીના સમયમાં મોમીનખાને જે ટકકર ઝીલી છે, અમદાવાદ શહેર મરાઠાઓના હાથમાંથી એક વાર પડાવી લીધું છે અને બીજા જે જે પરાક્રમોનાં વર્ણન અગાઉ જોઈ ગયા તે બધાં કયાં છે, એ બધું સાથે જોતાં મામીનખાનની હિંમત, બહાદુરી અને રાજદ્વારી કુનેહ માટે માન ઉપજ્યા વગર રહે નહિ. કરવેરા નાખી નાણાં ઊભાં કરવા માટે એક કરતાં વધારે વાર જુલમ થયા હશે એની ના કહેવાય તેમ નથી, પરંતુ જે સંજોગોમાં એવા ઉપાય લેવા પડેલા તે જોતાં એવે વખતે કોઈપણ રાજસત્તા શું કરે તે હાલની વીસમી સદીની સમાનતાવાદની દૃષ્ટિથી ન જોતાં બસો વર્ષ પહેલાંની દૃષ્ટિથી જોવાની જરૂર છે. મરાઠાઓએ પોતે પણ લડાઈઓના ખર્ચના બેજાને પહોંચી વળવા પૈસા કેવી રીતે ઊભા કર્યા છે તે ગૂજરાતના ઇતિહાસમાં અજાણ્યું નથી. છતાં પણ આગા રશીદબેગ જેવાની સલાહ ન લેવાઈ હત તે પ્રજા પર કરવેરા માટે જુલમ ન થાત એમ મોમીનખાનનું આખું ચરિત્ર જોતાં સમજાય છે. ગુજરાતના એક બાજુના એક નાના સંસ્થાનના રાજા હોવા છતાં આખા દેશના તે સમયના રાજપ્રકરણમાં ભાગ લેવો તે કાંઈ પણ સત્ત્વ અને પ્રતિભા વગર તે ન જ બને. મામીનખાન બીજામાં એમના પિતા જેટલા ઉત્તમ ગુણ નહોતા, પણ હિંમત અને કુનેહ તે એટલાં જ હતાં એટલું કહ્યા વગર ચાલે તેમ નથી. જેમ્સ બ્લે લખે છે કે એ પિતે ખંભાત આવ્યો ત્યારે નવાબ સાહેબની ઉમર આશરે પચાસ વર્ષની હશે. ચહેરો સાર હતો ને બાંધે મધ્યમ કદને હતો. ફોર્બ્સ કહે છે કે મોમીનખાનામાં કાર્યશક્તિ એટલી બધી હતી કે જે એટલા જ પ્રમાણમાં હદયના બીજા ઉદાર ગુણો હોય તે એ સામ્રાજ્યની ગાદીને શોભાવી શકે. ૨૧ નવાબ સાહેબને વિવેક આખા હિંદુસ્તાનમાં જાણીત હતો એમ ફૉર્બ્સનું વર્ણન વાંચતાં જણાય છે. એણે નવાબ સાહેબનું ચિત્ર પણ દોરેલું છે. ૧૩ ૬૧ Forbes Oriental Memoirs I. 320-25 માં આ વર્ણન વિરતારથી કર્યું છે. દર એ જ વ. II. 172. ૧૩ આ ચિત્ર ઓરીએન્ટ મેમેઇસની અસલ આવૃત્તિમાં ખંભાતનાં બીજાં દ સાથે મળી આવે છે. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy