________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharva Shri K asagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે ભાખેલ અદ્ભુત ભાષ્યવાણી એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, વિ. સં. 1967 સાયન્સની વિધા વડે, શોધો ઘણી જ ચલાવશે, મહાવીરસ્વા શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે. સને 1911 જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. સહુ દેશના સ્વતંત્ર્યનાં, શુભ દિવ્ય વાધો વાગશે, રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે, બહુ જ્ઞાનવીરો કર્મવીરો, જાગી અન્ય જગાવશે. હુનર કળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે. અવતારી વીરો અવતરી, કર્તવ્ય નિજ બજાવશે, એક ખંડ બીજ ખંડની, ખબરો ઘડીમાં આવશે, અશ્રુ છુહી સૌ જીવનાં, શાંતિ ભલી પ્રસરાવશે. ઘરમાં રહ્યાં વાતો થશે, પરખંડ ઘર સમ થાવશે. સહુ દેશમાં સો વર્ણમાં, જ્ઞાનીજનો બહુ ફાવશે, એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતા માં થાવશે, ઉદ્ધાર કરશે દુ:ખીનો, કરુણા ઘણી મન લાવશે. બુદ્ધિસાગર પ્રભુ મહાવીરનાં, તત્ત્વો જગતમાં વ્યાપશે. જન્મ : વિ.સં. 1930, મહા વદ 14, વિજાપુર દિક્ષા વિ.સં. 1957, માગશર સુદ 6, પાલનપુર આચાર્ય પદ : વિ.સં. 1970, માગશર સુદ 15, પેથાપુર સ્વ. : વિ.સં. 1981, જેઠ વદ 3, વિજાપુર For Private and Personal Use Only