SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર ઉપસર્ગ કરનાર કમઠના જીવ મેઘમાલી ઉપર સમભાવમાં લીન બનેલા પ્રભુની મનોવૃત્તિ તુલ્ય હતી. પછી સપ્તમ અમર્ષ સહિત વરસતા મેઘમાલીને ધરણેન્દ્ર કોપથી આક્ષેપપૂર્વક કહ્યું કે - અરે દુર્મતિ ! પોતાના અનર્થને હિતમાં વ્યાખ્યાન માટે આ તેં શું આવ્યું છે? હું ભગવંતનો સેવક છું, તેથી રે મૂઢ ! તારા આવા નીચ કૃત્યને સહન કરવાનો નથી. એ પરમ કૃપાળુએ કાઠમાં બળતા એવા મને ઉગારી નમસ્કાર મંત્ર સંભળાવી ઇન્દ્ર બનાવ્યો, અને તને પાપથી અટકાવ્યો; આવા ઉપકારી ઉપર પણ તું નિષ્કારણ શત્રુતા શા માટે ધારણ કરે છે? ત્રણ જગતને તારવામાં સમર્થ એવા એ પ્રભુ જલથી ડુબવાના નથી, પણ મને લાગે છે કે અગાધ ભવસાગરમાં તું જ ડુબવાનો છે”. એ પ્રમાણે કહી ધરણેન્દ્ર મેઘમાલીને ફીટકાર આપી હાંકી મૂક્યો. ધરણેન્દ્રનાં આવાં વચન સાંભળી ભયભીત બનેલો મેઘમાલી તત્કાલ સર્વ જલ સંહરી લઈ પ્રભુને શરણ કરી પ્રભુના ચરણમાં આવીને પડ્યો, અને અંજલિ જોડી પ્રભુ પાસે પોતાનો અપરાધ ખમાવી પોતાને સ્થાને ચાલ્યો ગયો. ધરણેન્દ્ર પણ નાટક વિગેરે વડે પ્રભુપૂજા કરી પ્રભુને વંદન કરી પોતાને સ્થાને ગયો. આવી રીતે દેવાદિએ કરેલા ઉપસર્ગોને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ નિર્ભયપણે સહન કર્યા ૧૫૮ (ત જે સે પાસે મા) આવી રીતે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ઉપસર્ગો સહન કર્યા, તેથી તે શ્રી પાર્શ્વનાથ ભગવાન્ (કારે ગાW) અનગાર થયા. પ્રભુ કેવા અનગાર થયા ? તે કહે છે - (રામ) ઈર્યાસમિતિવાળા, ઈર્યામાં એટલે હાલવા-ચાલવામાં કોઈ પણ જીવની વિરાધના ન થાય તેમ સમ્યક ૪૧૬ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy