SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર ખરકવૈધે સાણસી વડે પ્રભુના કાનમાંથી ખીલા ખેંચી કાઢ્યા. પ્રભુના કાનમાં ઉંડા પેસી ગયેલા અને રુધિરથી ષષ્ઠ | ખરડાયેલા તે ખીલા ખેંચ્યા ત્યારે પ્રભુ મહાવીરે મોટી ચીસ પાડી, તેથી સમગ્ર ઉદ્યાન મહાભયંકર થઈ ગયું. પિ વ્યાખ્યાનમ્ પછી સંરોહિણી ઔષધીથી પ્રભુના બન્ને કાનને તત્કાલ રુઝવી, પ્રભુને ખમાવી, ભક્તિપૂર્વક વંદન કરી સિદ્ધાર્થશેઠ અને ખરકવૈદ્ય પોતાને ઘેર ગયા. પછી લોકોએ તે સ્થળે દેવાલય બંધાવ્યું. તે વૈદ્ય અને સિદ્ધાર્થ શેઠ સ્વર્ગમાં ગયા, અને ખીલાનો ઘોર ઉપસર્ગ કરનાર પેલો પાપી ગોવાળ સાતમી નારકીએ ગયો. આવી રીતે પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળથી થયો. અને ઉપસર્ગોની પૂર્ણતા પણ ગોવાળથી થઈ; અર્થાતુ આ ખીલાનો ઉપસર્ગ છેલ્લો થયો. આ પ્રમાણે શ્રી વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેઓમાં જઘન્ય, મધ્યમ | અને ઉત્કૃષ્ટ વિભાગ આ પ્રમાણે સમજવો-કટપૂતના વ્યંતરીએ જે શીત ઉપસર્ગ કર્યો તે જઘન્યમાં ઉત્કૃષ્ટ | જાણવો, સંગમદેવે જે કાલચક્ર મૂકેલું તે મધ્યમ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ જાણવો, અને કાનમાંથી જે ખીલા ખેંચ્યા તે ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ જાણવો. આ સમગ્ર ઉપસર્ગોને શ્રમણ ભગવાન મહાવીરે નિર્ભયપણે સહન કર્યા, ક્રોધ રહિતપણે ખમ્યા; દીનતા રહિતપણે અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. (ત સમજી માલંમદીર્વરરૂપારેવા) આવી રીતે શ્રી મહાવીર પ્રભુએ ઉપસર્ગો સહન કર્યા, તેથી શ્રમણ ભગવાનું મહાવીર અનગાર થયા. પ્રભુ કેવા અનગાર થયા,? તે કહે છે - (રૂરિયામિ) હાલવા-ચાલવામાં કોઈ પણ જીવની વિરાધના ન થાય તેમ સમ્યક પ્રવૃત્તિવાળા-ઉપયોગવાળા; (માસ સમિg) નિર્દોષ વચન ૩૨૫ જે For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy