________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો સ્વને પણ તેવી વિકૃતિ થવાનો સંભવ ન જ રહે, તેથી સગીર દીક્ષિતોને તે જીદગી સુધીનું નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન અત્યંત સુસાધ્ય અને નૈસર્ગિક થાય છે. આ વાત આજ સુધીના સગીર દીક્ષિતોની અવ્યાહત સ્થિતિથી સાબીત થાય છે, કારણ કે સગીર દીક્ષિતોમાંથી પતન થયાના દાખલા મળતા નથી. વળી કઈ માણસ દીક્ષા લે અને અમુક સમય પછી જે તેનાથી તે પાળી શકાય નહિં અને તેને તે આશ્રમ છેડીને સંસારમાં પાછા જવું હોય તો તેમ કરતાં તેને કોઈ રોકતું નથી.
ઉપર જણાવેલી બધી હકીકત વિચારવાથી માલમ પડશે કે સગીરને વાલીની સંમતિથી લેવાતા અને અપાતા દીક્ષાના સંસ્કારે કોઈપણ પ્રકારે વાલીને, સગીરને કે સમાજને અડચણ કરનારા કે અનર્થ કરનારા નથી, એટલું જ નહિં પરંતુ સગીરના જીવનમાં સદાચાર, જ્ઞાનવૃદ્ધિ, અને શાંતિ આદિ સદ્દગુણોને પોષનારાજ છે. આવા સગીરને અપાતા દીક્ષાના સંસ્કારને રકવાથી તેઓનું આ ભવ અને પરભવે સંબંધી કેટલું બધું અહિત થાય, તે શ્રીમંત સરકારે વિચારવું ઘટે છે.
છેવટે આ નિબંધ સગીરની ખાટી દયાના નામે જે કાયદો થઈ અમલમાં આવશે તો તેથી સગીરનું મેટું અહિત કરનાર નીવડશે, માટે શ્રીમંત ગાયકવાડ સરકારને આ અયોગ્ય સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ તાત્કાલિક પાછા ખેંચી લેવા મારી નમ્ર પણ આગ્રહપૂર્વક વિનંતિ છે.
For Private and Personal Use Only