________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમા અંગિકાર કરીને વિચરીશ. ૨. અને કેવારે હું છેલ્લી મરણ સંબંધી સંલેષણા, જે તપ તેની સેવા કરી રૂક્ષ થઈને ભાત પાણીના પચ્ચખાણ કરીને પાપગમ અણસણ કરીને, મૃત્યુ અણુઈચ્છતો કેવારે હું વિચરીશ ? ૩ એવી રીતે સાધુ મન, વચન, કાયા, ત્રિકરણે કરી પ્રતિ જાગરણ કરતો થકે મહા-નિર્જરાને પર્યાવસાન કરે. શ્રાવકના ત્રણ મને રથને પાઠ –
तिहिं ठाणेहि समणोवासए महाणिज्जरे महापज्जवसाणे भवइ. तंजहा. कयाणं अहं अप्पं वा ग्गरं बहुंवा परिग्गरं चइस्सामि ? कयाणं अहं मुंडे भविता आगाराउ अणगारियं पव्वइस्सामि ! कयाणं अहं अपच्छिम मारणांतियं संलेहणा झूसिय भत्तपाण पडियाइख्खिए पाउवगमं कालमणवरुखेमाणे विहरिस्सामि ? एवं समणसा सवयसा सकायसा पडिज्जागरमाणे समणोवासए महाणिज्जरे महापज्जवसाणे भवइ.
અર્થત્રણ સ્થાનકે શ્રાવક મહા નિર્જરા–મહાપર્યવસાન કરે. કેવારે હું ધનધાન્યાદિક નવ પ્રકારનો પરિગ્રહ થોડે ઘણે છાંડીશ. ૧, કેવારે હું મુંડ થઈને આગાર જે ગૃહવાસ તેને છાંડી અણગાર વાસ અંગિકાર કરીશ. ૨ ત્રીજે સંલેષણાનો મનોરથ પૂર્વવત જાણવો
આ ઉપરથી પણ શ્રાવક સત્ર ભણે નહિ, વાંચે નહિ, એમ સિદ્ધ થાય છે. ઇત્યાદિ ઘણાં દ્રષ્ટાંત છે, જેથી પ્રત્યક્ષ રીતે સિદ્ધ થાય છે કે-મુનિને સિદ્ધાન્ત ભણાવવા. શ્રાવકને તો આવશ્યક, શ્રી દશવૈકાલિકનાં ચાર અધ્યયન અને બીજા પ્રકરણાદિ અનેક ગ્રંથો ભણવા. પરંતુ શ્રાવકને સિદ્ધાત ભણવાની ભગવંતે આજ્ઞા આપી નથી.
વધુમાં શ્રી પંચવસ્તકમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે કે –
"उवहाणं पुण आयंबिलाइ जं जस्स वनि सुत्ते । तं तेणे व उद्देअं इहरा आणाइआ दोसा ॥"
-પંચવડુક ગાથાઃ ૫૮૯, જે અધ્યયનને જે આયંબિલાદિક ત૫ આગમમાં કહેલું હોય, તે તાપૂર્વક સૂત્ર આપવું (ભણાવવું) અન્યથા નહિ. અન્યથા આપે તે આજ્ઞા ભંગાદિક દોષ લાગે.'
For Private and Personal Use Only