________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી કોઈ ક્રિયા કે સંસ્કાર કરે કે જેથી સંસારને ત્યાગ થયે ગણાય તેવી સર્વ પ્રકારની દીક્ષાને લાગૂ થાય એવી રીતને તૈયાર કર્યો છે. ( કલમ ૨ ).
૪. ત્યાગની દીક્ષા એક ધાર્મિક સંસ્કાર ગણાય છે, તેની વચ્ચે શ્રીમંત સરકારે પડવાને આ મુસદ્દાનો હેતુ નથી, પરંતુ જે કઈ સગીરને તેવી
દીક્ષા આપવામાં આવે તો તે તેની સમજણ મુસદ્દાની કલમ ૪, સિવાય અથવા રજામંદી સિવાય છે એમ
ગણવું જોઈએ, અને તેથી તેવી દીક્ષાને અંગે કાયદાને લઈને તેના હિતવિરૂદ્ધ જે જે પરિણામ આવે તે તેને ભોગવવા ન પડે એવા ઈરાદાથી સગીરને દીક્ષા આપવામાં આવે છે તે કાયદાની દ્રષ્ટિએ સર્વ પ્રકારે નિરર્થક છે એમ ગણવા કલમ ૪ માં ઠરાવ્યું છે, એટલે કે તે કલમમાં જણાવ્યા પ્રમાણે તેવા કોઈ સગીરના કાયદેસર હક્ક કે જવાબદારીઓ હેય તેને તેની દીક્ષાથી બાધ આવશે નહીં એવું સમજવા ઠરાવ્યું છે.
૫. આ ઉપરાંત એવા કોઈ સગીરને જો કોઈ પણ માણસ દીક્ષા કલમ ૫, આપશે, અગર આપવામાં મદદગારી કરશે તેને
કલમ ૫ થી શિક્ષાપાત્ર ઠરાવ્યું છે. ૬. આટલાં ધોરણે હાલ પૂરતાં છે એમ જણાયું છે. સગીર ન સગીર ન હોય એવા માણસને હોય એવા માણસને કોઈ આવી આવી દીક્ષા આપે તો દીક્ષા આપે તો તેને માટે પ્રતિબંધ પ્રતિબંધ મૂક્યો નથી. ભૂકો નથી. ૭. આશા છે કે જનસમાજના હિત માટે શ્રીમંત સરકાર તરફથી
થએલા વખતોવખતના કાયદાઓની માફક આ આશા. કાયદાનો મુસદ્દો પણ પ્રજા રાજીખુશીથી
સ્વીકારશે, અને જે અનર્થો થતા હોય તે અટકાવવામાં સહાયભૂત થશે. તારીખ ૨૩ માહે જુલાઈ સને ૧૯૩૧.
મે. સે. દવે.
વિષ્ણુ કૃષ્ણરાવ ધુરંધર,
ન્યાયમંત્રી.
For Private and Personal Use Only