________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
સ. તમારા ૩૦૦-૪૦૦ સાધુઓ અને ૧૨૦૦ સાધ્વીઓ કહેવાય છે, તે
ખરું છે ! જ. સાધ્વીઓની સંખ્યા કાંઈક ઓછી હશે. પણ સાધુઓ કરતા વધારે
હશે. શ્રાવક કરતાં શ્રાવિકાઓ વધારે હોય છે, તેમ સાધુઓ કરતાં સાધ્વીઓ પણ વધારે હોય. મહાવીરસ્વામીના વખતમાં એક લાખને ઓગણસાઠ હજાર સાચા શ્રાવકે અને ત્રણ લાખ ઉપર સાચી શ્રાવિકાઓ હતી.
(રા. ભોગીલાલ હાલાભાઈની ચીદિથી નીચેનો એક પ્રશ્ન પૂછો હતો.) સ, સિદ્ધવિંગણિએ ૯ વખત દીક્ષા લીધી અને છેડી અને ૧૦ મી વન
તે લઈને પાળી છે, તે પણ તેમની દીક્ષા અયોગ્ય કહી નથી એ વાત
ખરી છે ? જ હાલના સારા સારા આચાર્યો જેઓ વિદ્વાન છે, તેમાંના કેટલાક
પણ પાછા ઘેર ગયેલા છે અને ફરી દીક્ષા લીધેલી છે. એટલે પાછા પણ આવે છે અને ફરી દીક્ષા પણ લે છે. સારું કામ કરે એટલે
યોગ્ય કહેવાય અને ખરાબ કરે તે અયોગ્ય. સ. દીક્ષા આપવા માટે ઉંમર કયી નિયત કરવી ? જ તે સંબંધમાં શાસ્ત્રના આધારે આપું.
૨. ગોવિંદભાઈ–નહિં આપનો અભિપ્રાય આપો ! સાક્ષી–સાધારણ રીતે બુદ્ધિવાન અને સમજ શકિતવાળો હોવો જોઈ એ. આપણે ત્યાં એક નોકર રાખવા હોય છે તે પણ તેની લાયકાત તપાસીએ છીએ, તેમ ખાત્રી પણ કરીએ છીએ. તે પછી દીક્ષા લેનાર તે સમજણવાળો હોવો જ જોઈએ. કારણકે તેને તો સદાચારી જીવન ગાળવું છે. એટલે તે જીવન જીવવા માટેની સમજણવાળા હો જોઈએ. સાધુઓ અમારા તરણ તારણ, તેના ચરણમાં અમારી માબહેન દીકરીઓ વંદન માટે જાય, તેથી ઘણી જવાબદારી
ને સવાલ છે. સ, કાયદાએ ૧૮ વર્ષ કર્યા છે, તો કેટલી ઉંમર રાખવી ? જ. ૧૮ વર્ષની ઉંમર વધારે ઉત્તમ છે. કદાચ ઓછી કરીએ તો ૧-૨
વર્ષ, ૧૬થી ઓછી નહિંજ. સત્ર શાસ્ત્રમાં શું છે ? જ. શાસ્ત્રમાં તે ઓછામાં ઓછી ૮ વર્ષની ઠરાવી છે, તેનું કારણ સાધુએ
સ્વાધ્યાય કરી મસ મેળવવાનું છે. કેવલ્યજ્ઞાન થાય ત્યારે જીવન
For Private and Personal Use Only