________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
શા. કેશવલાલ મંગળચંદ–પાટણવાળાની જુબાની.
તા. ૮-૭-૩ ઉં. વ. ૩૬. સ, આ સ્ટેટમેન્ટ તમે મોકલ્યું છે? જ મને જે બતાવવામાં આવે છે, તે સ્ટેટમેન્ટ મેં કહ્યું છે. સ, એમાં દર્શાવેલાં વિચારો શા ઉપરથી દર્શાવ્યા છે? જ. મારા પિતાના અભ્યાસ ઉપરથી. સવ કયી જાતના અભ્યાસ ઉપરથી! જ જે જે દીક્ષાઓ અપાય છે તે અયોગ્ય રીતે અપાય છે અને તેથી
સમાજને અને ધર્મને ઘણું જ નુકશાન થાય છે. સઅયોગ્ય એટલે કેવી ? જ અયોગ્ય એટલે વેશધારીઓ કહી શકાય છે. ત્રણ પ્રકારના વૈરાગ્યથી
દીક્ષાના ભાવ થાય છે. જ્ઞાનમૂલક, મોહગર્ભિત, અને દુ:ખગર્ભિત. તેમાંથી જ્ઞાનમૂલક તે ગ્રાહ્ય અને બાકીના બે અગ્રાહ્ય છે.
(ખુલાસા માટે જુઓ શાસ્ત્રીય પુરાવા) સ૦ બાળકને તેવો વૈરાગ્ય થાય કે નહિ ?
બાળકને જ્ઞાનમૂલક વૈરાગ્ય થાય એ માની શકાય નહિં, કારણ કે દીવાની કાયદાએ પણ સમજણને માટે ૧૮ વર્ષ યોગ્ય ગણ્યા છે, તે બાળકમાં તેવી સમજણ હોવાનું બની શકે નહિ. કોઈ મહાપુરૂષ
હોય અને તેમ બને કે બાલ્યવયમાં પણ જ્ઞાનમૂલક વૈરાગ્ય થાય. સ, જ્ઞાનમૂલક વૈરાગ્ય થયો છે એની ખાત્રી શી? જ એને જ્ઞાનમૂલક વૈરાગ્ય થાય છે કે નહિ, એ એનું પિતાનું વર્તન
અને એની લાયકાતજ બતાવી આપે છે. સ, દીક્ષા કેને અપાય ? જ માબાપની ખુશી હોય, સંઘની સંમતિ હોય, તેને દીક્ષા આપવામાં
વાંધો નથી. પણ જ્ઞાનમૂલક વૈરાગ્ય થયો હોય તેને જ દીક્ષા અપાય. સ, હાલની દીક્ષાઓ એ પ્રમાણે અપાય છે કે નહિ? જ એ પ્રમાણે અપાતી નથી. શિષ્ય મોહને લઈને એ વસ્તુ જોવામાં
આવતી નથી. આજેજ આવ્યું ને આજેજ મુંડ્યો એમ ચાલે છે.
For Private and Personal Use Only