________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ. એ કંઈ કહી શકાય નહિ. કઈ સગીરપણે દીક્ષા લઈ શકે અને કે
વૃદ્ધ થાય તો પણ ન લઈ શકે. હું તે કહું છું કે સંન્યાસ દીક્ષા
પ્રતિબંધને બદલે “સંન્યાસ દીક્ષા સંરક્ષક નિબંધ’ કરવો જોઈએ. સવ વડોદરા સંમેલનમાં શ્રાવક હતા ?
જ સંમેલન વખતે સ્થાનિક મળને લગભગ ૨૦૦૦ શ્રાવકો એકઠા થયા
હતા. એટલે આટલા બધા શ્રાવકેની હાજરીમાં ઠરાવ થયેલા, તે પ્રમાણે ૧૯૬૮ થી અમારા વડોદરામાં સંઘની સંમતિથીજ દીક્ષા આપીએ છીએ. અને બીજી દીક્ષાઓની માહિતિ નથી. સંઘ એટલે વહીવટદાર, સેપિલ હોય તે કામ કર્યા કરે. મુસદો બહાર પડયા પછી અહીં રા. ડાહ્યાભાઈ મગનલાલ હરિભક્તિના પ્રમુખપણ નીચે વડેદરાના શહેરીઓની સભા મળી હતી, ત્યારે મેં જ કહ્યું હતું કે બધી વ્યવસ્થા કરે તે હંજ જઈને શ્રી મહારાજ સાહેબને કહ્યું કે કાયદાની જરૂર નથી. પણ એવી સ્થિતિ નથી માટેજ કાયદે માંગીએ છીએ. આપણા શ્રીમંત મહારાજા સાહેબે નિબંધમાં ખુલાસો કર્યો છે કે ધર્મમાં દરમ્યાનગીરી કરવા માંગતા નથી, તે શુભ ઉદ્દેશ બરાબર છે, એ સમજીને અંકુશ મુકાશે તો પણ ઝઘડા થતા અટકશે અને અંદર અંદર લડતા બંધ થઈશું. પ્રથમ સંઘની સત્તા હતી. અમદાવાદનો સંઘ ગુજરાતમાં મોટો ગણાય તે ખરું. સકળ સંઘે એકઠા મળી ઠરાવ કર્યો છે તે ભલે, પણ ૫૦૦૦ માણસ તો આ કાયદો થવો જોઈએ એમ ઈચ્છતા હશે. ૧૦૦૦૦ એવા હશે કે જેઓ ધમાલ ઈચ્છતા નથી. ડૉ. બાલાભાઈના પુત્ર કેશુભાઈ વિગેરે ૧૦-૧૫ ગૃહસ્થોની સહીથી એક નિવેદન પણ આ કાયદો થવા માટેનું બહાર પડયું હતું. એટલે અમદાવાદમાં પણ પણ છે, એટલે એક પણ સંઘની સત્તા રહી નથી. જૈને માટે આખા હિંદની પ્રતિનિધિ સંસ્થા બે છે. એક આણંદજી કલ્યાણજીની પેઢી અને બીજી કૅન્ફરન્સ, પણ કૅન્ફરન્સ હાલ પ્રતિનિધિ છે તેમ કહી શકાય નહિં. પાંચ લાખમાંથી ૫૦ હજાર વિરૂદ્ધ તેથી એકમત નથી. એટલે હવે કોઈની એવી શક્તિ નથી કે ઠરાવ કરાવી અમલ કરાવી શકે. કૅન્ફરન્સ કરાવ કર્યો છતાં તેને અમલ થયો નહિ. તેમ છતાં અંદર અંદર સમજુત થાય અને સુધારે થાય છે તેમ કરવા અમે ખુશી છીએ. તેમ થાય તે કોન્ફરન્સ તરફથી બાલાભાઈ ડૉક્ટરને કુલ મુખત્યાર નીમીએ છીએ. આપ પ્રમુખશ્રીને માટે પણ અમને પૂર્ણ વિશ્વાસ હોઈ આપને
For Private and Personal Use Only