________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા સંબંધમાં બૈરાંઓ કહે છે કે પહેરવાનું મન થાય, ખાવાનું મન થાય અને તેને અટકાવવામાં આવે તેથી રડે અને છેવટે માર સહન કરવો પડે અને તેથી દીક્ષા છોડે, અને પછી તેમના એકરારો અમે પ્રસિદ્ધ કરીએ. એવું ન બને તે માટે જ આવા દાખલાઓથી શ્રીમંત સરકાર જરૂર આ કાયદે કરે.
(આ વાત ખોટી છે. તે માટે જુઓ પરિશિષ્ટ નં. ૬) સ. સંઘથી આ સુધારો થાય તો કેમ ? જળ સંઘ શબ્દ કહે છે એટલે કહું છું. ગઈ કાલે કહ્યું છે કે સંઘના
પ્રયત્ન નિષ્ફળ જવાથી જ કાયદો માંગીએ છીએ. કૅન્ફરન્સ જુબેરમાં ઠરાવ કર્યો અને યંગ મેન્સ સોસાયટી સુરતમાં મળી અને તેનો વિરોધ કર્યો. તેના પ્રમુખ બકુભાઈ મણિલાલ પણ તેમના ભાષણમાં બોલી ગયા છે કે સાધુ સંસ્થામાં સડે પેઠો છે અને જ્યાં એવા સડેલા સાધુ હોય તેમને કાઢી નાંખવા જોઈએ. અમે ઠરાવ કરીએ એટલે બહિષ્કાર કરે છે. ભયણમાં સાધુઓનું સંમેલન મળ્યું અને તેમાં ઠરાવ થયો કે બાળદીક્ષાથીજ શાસનનો ઉદ્ધાર છે, જે શાસ્ત્ર વિરૂદ્ધ છે.
અગ્ર ભાઈશ્રી કડીયાએ વાંધો લીધે કે આ દલીલનો પ્રશ્ન છે અને જે એકેક વાતનો ક્રોસ કરવામાં આવે તો બધી દલીલો તુટી જાય. સાક્ષીએ જણાવ્યું કે ત્રીજે માણસ વચ્ચે કેમ બોલી શકે ?
પ્રમુખ સાહેબે બન્ને પક્ષને શાંત રહેવાનું કહેતાં શાંતિ થઈ હતી. સવ દીક્ષા લેવાથી ઘણું દુ:ખ ભોગવવું પડે છે અને તેથી સગીર તે માટે
લાયક નથી એમ તમારું કહેવું છે? જ પ્રથમ તે નાના બાળકની સમજ શક્તિ કાચી હોય છે અને તેમને
મોક્ષ મળશે, સારું સારું ખાવાનું મળશે-એવું એવું સમજાવવામાં આવે છે, તેથી બાળકે પોપટની માફક તે પઢે છે અને જ્યારે એમને લાગે છે કે કબજામાં આવી ગયો, એટલે દીક્ષા આપે છે, પરંતુ દીક્ષા આપ્યા પછી માર મારે છે અને તેથી તે ત્રાસીને ભાગી જાય છે. પરણેલાને ભભુતિ નાંખી ભ્રમિત કરવામાં આવે છે, જે કે તે બાબતમાં માનતો નથી. કેટલાકને દેવું ચૂકવીને દીક્ષા અપાય છે અને પછી તે પલાયન થઈ જાય છે. કેટલાક આત્માને ઉદ્ધાર સમજી દીક્ષા લે છે, પરંતુ અંદર ગયા પછી તેને લાગે છે કે આથી સંસા
For Private and Personal Use Only