________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
જ
,
સ. ૧૨ વર્ષના છોકરાએ દીક્ષા લીધી હોય, અને બે વર્ષ પછી જ તેના
બીજા ભાઈઓએ તેને બાપ મરી જવાથી મિલ્કત વહેંચી લીધી
હોય અને કદાચ તે પછી તે પાછો આવે તો શું કરવું ? જ સગીર દીક્ષા લે, તો પણ સીવીલીડે. ન ગણવો, જેથી તેનો ભાગ
તો નહિ રહે. શાસ્ત્રમાં સગીરને મરી ગયેલો ગણાય છે, એટલે તેને મિલ્કત ઉપર હક્ક રહેતો નથી, તો તેમાં કોઈ વાંધો નહિ આવેને ? દક્ષિા લીધી હોય અને પાછા આવે ત્યારની વાત છે. દીક્ષા છોડીને આવે અને આપદા ન પડે તે માટે છે. દીક્ષાનો પ્રતિબંધ કરવા માટે
નથી, એટલે તેમાં વાંધો નથી. સ, દીક્ષા લીધા પછી તેના કાકા તેની મિલ્કતની વ્યવસ્થા કરી લે, તે
દાવો કોણ કરે ? જ દીક્ષા ન લીધી હોય, અને કાકાઓ વહેંચી નાંખે તો શું થાય ? એ
તે લાયક ઉમરનો થાય ત્યારેજ દાવો કરે. સ, દીક્ષા લેતી વખતે સ્થાનિક સંઘની સંમતિની જરૂર ખરી કે નહિ ?
સંમતિ આવશ્યક નથી. દીક્ષા અપાય છે તે સંઘ સમસ્ત અપાય છે. સંમતિ તે લેવાતી જ નથી. દીક્ષા આપતી વખતે સંઘના લેકે હાજર રહે છે. સંમતિ લેવાનું શાસ્ત્રમાંથી નીકળેજ નહિ. દીક્ષા એ પુન્યનું કામ છે. પબ્લીક તેની અનુમોદના કરવી, એ તેમની ફરજ
સમજી, તેમજ તેમાં તેમનું પણ આત્મકલ્યાણ હોવાથી હાજર રહે છે. સવડોદરામાં ૧૯૬૮ માં સાધુસંમેલન મળેલું તે જાણો છો? જ મેં સાંભળ્યું છે. સ. તેમાં ઠરાવ કરેલ છે કે–દીક્ષા લેનાર આવે, ત્યારે તેના માબાપને
રજીસ્ટર નોટીસથી ખબર આપવી અને એક મહિને પાસે રાખી દીક્ષા
આપવી તે જાણે છે ? જ. મારા સાંભળવામાં છે. સવ એવો ઠરાવ શા માટે કરવો પડયો ? જ પાછળથી તોફાન તકરાર ન થાય અને પિતાના ચારિત્રપાલનમાં
ખુલના ન થાય તે માટે. ભાવનગરના સંઘે બાળ દક્ષા નહિ આપવાનો ઠરાવ કર્યો છે તે
જાણો છો ? જ ઠરાવ થયો છે તે જાણું છું. કયા શબ્દમાં છે, તેની ખબર નથી. સ, ધર્મબિંદુમાં વડી દીક્ષા માટે છ માસની મુદત છે તે સંબંધી શું કહે છે?
For Private and Personal Use Only