________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેશક
ભેગેલિક પ્રદેશ અને ઇન્ડિયા સ્ટેસ એજન્સીમાં આવેલું ઈડરનું રાજીવ
પહેલા વર્ગનું સંસ્થાન છે. લોકભાષામાં તે એ “નાની મારવાડના નામથી જ સુવિદિત છે; કારણકે તેનું અમલકર્તા રાજ્યકુટુંબ અગિયારમી સદીથી આજ સુધીમાં ત્રણ વખત રાજપુતાનાના મારવાડમાંથી અહીં ઊતરી આવેલું છે
ગુજરાતના ઇશાન કોણમાં સાબરમતી નદીની પૂર્વ ૨૩.૬ અને ૨૪.૩૦ના અક્ષાંશ તથા ૭૨.૪૯ અને ૭૩.૪૩ના રેખાંશ ઉપર આ પ્રદેશ પથરાએલો છે. ૧૬૬૮ ચોરસ માઇલનું તેનું ક્ષેત્રફળ છે.
તેની ઉત્તરે સહી અને મેવાડના રાજ્ય, પૂર્વ મેવાડ અને ડુંગરપુર, દક્ષિણ તથા પશ્ચિમે અમદાવાદ જિલ્લાના બ્રિટિશ તાલુકાઓ તથા વડેદરા સંસ્થાનને પ્રદેશ, અને ઈશાન કેણમાં દાંતા રાજ્ય આવેલાં છે.
સીમા અરવલ્લીની ટેકરીઓ જે આ રાજ્યની સરહદ ઉપર દક્ષિણ વળાંક લે છે તે ઉત્તર અને પૂર્વની તેની પ્રાકૃતિક સીમા છે. એ કારણે આ બાજુને પ્રદેશ ડુંગર અને અરણ્યોથી વિભૂષિત, રસવતી ખીણોથી ખચિત અને સઈ, હરણાવ, હાથમતી, મે, વાત્રક તથા માઝુમ જેવી સાબરમતી નદીની શાખાઓથી જલ
For Private and Personal Use Only