________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન ઇતિહાસ પુરાતન કાળમાં આ સંસ્થાનની ભૂમિ આબાદ અને સમૃદ્ધ નગરીઓથી ભરપૂર હશે એમ અહીંતહીં મળી આવતાં સુંદર ઘાટનાં શેભિત મંદિરનાં ખંડેરો, ઠેરઠેર વેરાએલી શિલ્પમૂર્તિઓ અને સ્થળે સ્થળે બાંધેલી સુશોભિત વાવો તથા કુંડે ઉપરથી જણાય છે.
પુરાણોમાંથી મળી આવતા ઉલ્લેખો મુજબ આ સંસ્થાનને પ્રદેશ દ્વાપર યુગમાં વાતાપી અને ઈવન નામના બે અસુર બંધુઓનું નિવાસસ્થાન હતો. એમણે આ પ્રદેશનું ખેદાનમેદાન કરી મૂકેલું તેથી અગત્ય ઋષિને એમને નાશ કરવો પડ્યો, ભવિષ્યોત્તર પુરાણના આધાર મુજબ કલિયુગ પછી ૨૨૩ર વર્ષે આ પ્રદેશમાં વેણીવત્સરાજ નામનો નૃપતિ રાજ્ય કરતા હતા. પ્રચલિત કહેતી મુજબ એને જન્મ ઈડરની ડુંગરીઓમાં થએલો. એની માતા હિમાલયના પર્વતીય પ્રદેશના ગઢવાલ-તેહરીમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી અને ત્યાંથી તેને ગરજ નામનો એક પક્ષી ઉપાડીને આ સ્થળમાં લાવેલો, જ્યાં તેણે ઉચિત સમયે એક પ્રતાપી કુંવરને જન્મ આપ્યો. વેણુવત્સરાજે અહીં કેટલાંક વર્ષો સુધી રાજ્ય કર્યા બાદ તેની નાગપત્નીની ઈચ્છાનુસાર તે આ સ્થળ ત્યજીને ચાલ્યો ગએલો. આજે પણ તારંગાના ડુંગરમાં તારણ માતાની ગુફા છે તે એના પાતાળમાં અદશ્ય થવાના સ્થાન તરીકે ઓળખાવવામાં આવે છે.
આ પછી લાંબા સમયે, ઈ. ને છઠ્ઠા સૈકામાં આરબ લોકોએ વલ્લભીપુરની ચલાવેલી લૂંટ પછી શિલાદિત્યના પુત્ર ગુહાદિયે ઈડરનો રાજ્યપ્રદેશ ભીલ લેકની પાસેથી જીતી લીધું. તેના
For Private and Personal Use Only