________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
જા
૧૯૦૦ સુધી વંરિંગટન, વેલસ્લે, બ્રાયન માવર, સ્મિથ વગેરે વિશ્વવિદ્યાલયમાંથી જે સ્ત્રીઓએ પદવી લીધી તેમાંથી લગભગ ત્રીઓએ વિવાહ અને પ્રજોત્પાદન માટે નાખુશી જ બતાવી. “સામાન્ય રીતે જોતાં પદવીધર પુરુષમાં પદવીધર સ્ત્રીઓ કરતાં વિવાહનું પ્રમાણ વધારે પડે છે; પરંતુ અહીં પણ દેખાઈ આવે છે કે આ કુટુંબમાં વિવાહની સંખ્યા, વિવાહનું વય, જનન સંખ્યા, વગેરે બાબતોનું જે પ્રમાણ હોય છે તે ઉપરથી વિચાર કરીએ તે ખાત્રી થશે કે આ વર્ગને નક્કી વિનાશ જ થવાનો છે.” તદ્દન નિશ્ચિત આંકડા આપીને બેલવાનું થાય તે એમ કહી શકાશે કે, “પદવીધર સ્ત્રીઓમાંથી ૪૦ ટકા જેટલી સ્ત્રીઓના વિવાહ થયા અને તેમને સર્વ સાધારણ રીતે ક જેટલાં છોકરાં થયાં.'
છે. હેન્સ કહે છે કે, “કોલેજમાં શિક્ષણ લેતી સ્ત્રીઓમાંથી પચાસ ટકા જેટલી સ્ત્રીઓ અવિવાહિત રહે છે. સમાજને અભ્યાસ કરતાં એમ જણાઈ આવે છે કે અવિવાદિત રહેવાને પ્રસંગ ઘણે ભાગે વધુ બુદ્ધિમાન અને કર્તુત્વવાન સ્ત્રીઓ પર જ આવે છે. આજ સામાજિક કાર્ય કરવાના હેતુથી જે સ્ત્રીઓ વિવાહ કરતી નથી, તેજ સ્ત્રીઓની સંતતિ ખરેખર સમાજમાં વધુ રહેવી જોઈએ. સ્ત્રીસ્વાતંત્ર્યના તત્ત્વથી જે કંઈ ફાયદા થતા હશે તે તે કોને ખબર; પરંતુ વાંશિક દૃષ્ટિએ તે અત્યંત નુકશાન થાય છે એમ અમારો મત છે. આજ સુધી સામાજિક પ્રગતિના નામ હેઠળ વંશોની જે અધોગતિ ચાલી રહી છે, તે અર્ધગતિનું અંતિમ પરિણામ વાંશિક નાશ જ થવાનું.”
1 A study of birth rate of Harward and yale graduates by Phillips.
2 Education of women by Goodsell; Article by Paul Popenoe-Journal of heredity 1917;-Co-education and Eugenics by Bankor Journal of besodity.
For Private and Personal Use Only