________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ભાષાન્તર આપવાની ઈચ્છા થઈ. વિશ્રી પાસે તેમ કરવાની ઇચ્છા પ્રદર્શિત કરતાં એમણે અત્યંત ઔદાર્ય પૂર્વક રજા આપી તે માટે હું એમને અત્યંત આભારી છું.
અનુવાદની પ્રેસ કાપી” કરતા પહેલાં મારા બાલસ્નેહી શ્રીયુત લાલજી મૂલજી ગોહીલ આ અનુવાદ પહેલેથી છેલ્લે સુધી જોઈ ગયા એ માટે તેમનો આભાર માનીએ તેટલો ઘેડે છે. એમણે બી. એ. માં ઐચ્છિક વિષય તરીકે તત્ત્વજ્ઞાન લીધેલું. એમની સાથે પ્રસંગોપાત્ તાત્વિક અને સામાજિક વિષય પર ખૂબ ચર્ચા થતી. આ પ્રસ્તાવનાની તાત્ત્વિક ભૂમિકા એમને જ આભારી છે. એકંદરે આ અનુવાદ પાછળ એમણે કષ્ટ સહન કરીને પણ અનેક પ્રકારે મદદ અને તેવી જ રીતે પ્રેફે તપાસવાનું કામ પણ ઘણી જ બારીકાઈથી કરી આપ્યું તે માટે હું એમને ઘણોજ આભારી અને ઋણી છું.
ખડાયતા પ્રેસના માલેક શ્રી. કેશવ હ. શેઠને મુદ્રણનું કામ સેપ્યું હતું. તેમણે કાળજીપૂર્વક મુદ્રણનું કામ કરી આપ્યું તેવી જ રીતે શ્રી. લજજાશંકર હરિભાઈ જોશી. શ્રી. નરસિંહ વાલજી વગેરે મિત્રોએ જે મદદ કરી છે તે માટે હું એમનો અત્યંત અભારી છું. અસ્તુ.
૩૪૫ બુધવારો
પુના ઈ
લીલાધર જી. યાદવ
For Private and Personal Use Only