________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્માન્તર
૨૧૧
સમાજના જુદા જુદા થરામાં જે કંઈ કર્તુત્વવાન વ્યકિતઓ હશે, તેમની સંતતિ દર પેઢીએ વધતી જાય અને કનિષ્ઠ પ્રજાની સંતતિ દરપેઢીએ ઓછી થતી જાય એવી કંઇ પણ વ્યવસ્થા સમાજરચનાનાં મૂળતામાં ગુંથી રાખવી જોઈએ. એક વખત મનુષ્ય સમાન છે, એ અશાસ્ત્રીય અને વરિષ્ટોને મત્સર કરતાં શિખવનારે મત પ્રચલિત કર્યા પછી સમાજશાસ્ત્રના નિયમો લાગુ કરવાના પ્રયત્ન કરવા એ મૂર્ખાઈની હદ જ છે. પરંતુ યુરોપની સમાજરચનામાં કઈ પણ પ્રકારની શાસ્ત્રીય વ્યવસ્થા કરેલી દેખાતી નથી. હિંદુઓની સમાજરચનામાં આવા પ્રકારનાં તેને પૂર્ણપણે વિચાર કરવામાં આવ્યો છે. આ સર્વાગ શાસ્ત્રીય રચના છેડી તેની જગાએ જુદાજ અને ભૂલભરેલાં તોના પાયા પર રચાએલી સમાજરચના શા માટે પ્રવૃત્ત કરવી એ કાયડો અમારાથી ઉકેલાતું નથી. જરા આગળ જઈએ તે એમ દેખાશે કે આજની કાયદા પ્રણાલી પણ એવી છે કે તેમાં કનિષ્ટોની લેકસંખ્યા ઝડપથી વૃદ્ધિગત થતી જાય છે. અને વરિષ્ટોની સંતતિ પણ તેટલી જ ઝડપથી ઘટતી જાય છે આજ તે સમાજની રચના એવી જ થઈ છે કે કોઈને પણ સામાજિક પ્રગતિ કરી લેવી હોય તો ઉલટી સંતતિની સંખ્યાને કમી રાખવી એ જ પ્રગતિનું એક મોટું સાધન થઈ બેસે છે. અત્યંત શ્રીમંતવર્ગમાં જેટલી સંતતિ ઓછી, તેટલો જ વારસદારનો હિસ્સો વધારે. મધ્યમ વર્ગ તરફ જોઈશું તે તેમાં પણ સર્વસાધારણ શિક્ષણ કે ધંધાને ઉપયુક્ત શિક્ષણ વગેરેનું ખર્ચ અપરંપાર વધી જવાથી અને પ્રત્યેક ધંધામાં મુડી પણ અત્યંત જરૂરી હોવાથી અહીં પણ થોડી સંતતિ ઓછી હોય તે સારી એવી સહજ પ્રવૃત્તિ થવા લાગે છે આથી હલકા વર્ગમાં સર્વ મુડીને રોજના નિર્વાહનાં સાધને પાછળ જ ઉપયોગ કરવામાં આવે છે. આ જાતના અર્થપ્રધાન સમાજની જલદી ધુળધાણી થયા વગર રહેતી નથી.
I Adopted from Gates Heredity and Eugenics.
For Private and Personal Use Only