________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાના વિવિધ તત
પરિમાણ લગાડી શકાય નહિ એ અમે જાણીએ છીએ. ગુણને ભલે સંખ્યા પરિમાણ લગાડી શકાય નહિ પણ તેની તીવ્રતા (Intensity)ને તો લગાડી શકાય છે અને તેવી રીતે બુદ્ધિ વગેરે ગુણેનાં માપ લેવાનું કાર્ય ચાલુ છે, એટલું જ અહીં સૂચવું છું. બુદ્ધિ હવાને ગુણ સર્વ પ્રાણીઓમાં ઓછો વત્તા પ્રમાણમાં મળી આવે છે તેથી બુદ્ધિ બુદ્ધિમાં ફરક નથી એમ કહેવું ગેરવાજબી છે. ઉપર આપેલા દાખલામાં એક ગુણની વૃદ્ધિ થઈ એટલે તે વધુ તીવ્ર થયો એમ કહેવું જોઈએ; એટલે કે એક જાતિમાં તે ગુણ જે પ્રમાણમાં હશે તેના કરતાં અઢીગણ વધુ પ્રમાણમાં બીજી જાતિમાં હશે. એવી સ્થિતિ હોવાથી ચલે ગાર્મ પાળ્યો કેમ થાય ? સાચું કહીએ તે આ મહાન વ્યક્તિઓને કેાઈ પણ તરવને બાધ નથી, કોઈ પણ તત્વજ્ઞાન પર શ્રદ્ધા નથી. એમને ફકત સુધારણા કરવી છે, સમાજસુધારણ થઈ એટલે બસ, એટલે જ એમને હેતુ છે.
લાભાર્કના તત્ત્વજ્ઞાનનો અગર રમૃતિ પુરાણાદિ ગ્રંથોમાં ઉલ્લેખેલાં આ પ્રકારનાં તત્ત્વજ્ઞાનને આશ્રય કરવાથી સમાજરચના કેવા પ્રકારની થશે એને વિચાર કરીએ. જે લામા કહે છે તે પ્રમાણે અગર આપણાં જાત્યુત્કર્ષ પંડિતે કહે છે તે પ્રમાણે ગુણાના, ઇતિઓના અગર શક્તિના ઉપયોગથી તે તે ગુણો, ઈદ્રિઓ કે શક્તિઓની તે તે વંશમાં પ્રગતિ થાય છે. ખરેખર એમ હોય તો કોઈ પણ મનુષ્યને ધંધે તેની અભિરૂચિ પર અવલંબી રખાય નહિ. બ્રાહ્મણોએ સે બસો પેઢીઓ લગી બુદ્ધિપ્રધાન કામે કર્યા હોવાથી તેમનામાં તે ગુને અનુરૂપ શરીર અને માનસરચના ( Mechanism ) તૈયાર થએલાં હોવાં જોઈએ, અને ઉપરના તત્વ પ્રમાણે તે તે રચના ઉલટી તીવ્રતર બની હશે. વૈદકીય ધંધો કરનારી વ્યક્તિના મગજમાં વૈદકીય જ્ઞાનને અનુરૂપ જ ફરક પડતા હોવા જોઈએ. એ ફરક લાભાર્કની
૧ આ બાબતમાં Simon, Terman, Spearman, Goddard, Ballard, Burt, વગેરે પંહિતાએ પુષળ કાર્ય કર્યું છે,
For Private and Personal Use Only