SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ રચના સંવત્ ૧૦૧ વડે કાઢયો અને રાજાને ભંડારમાં આ વ્યાકરણગ્રંથને મૂક્યા, પ્ર. ચિં. માં લખેલ વ્યાકરણ રચનાને એક વર્ષ જેટલે કાળ ૩૦૦૦૦ કલેક જેટલા મૂળ ભાગ માટે જ સમજ જોઈએ, એવો મારો મત છે. વ્યાકરણ બન્યા પછી સિદ્ધરાજ શૈવધર્મમાં માનનારો હતો. હેમાચાર્ય જૈન ધર્મના આચાર્ય હતા. તેમ સિદ્ધરાજ પાસે અનેક પંડિતે, વધતી જતી હેમાચાર્યની કીતિને સાંખી શકતા ન હતા. તેઓ અવારનવાર સાચી જૂઠી હેમાચાર્યની નિંદા કરી રાજાના કાન ભરતા હતા. આવી પરિસ્થિતિમાં સિદ્ધરાજ, હેમાચાર્યના ગ્રંથની સંપૂર્ણ પરીક્ષા કર્યા વગર જ તેને પ્રચાર કરે, તેની મુક્ત કંઠે પ્રશંસા કરે; તે માટે પુષ્કળ ધનવ્યય કરે, એ નહિ બનવા જેવું છે. એટલે પ્રસ્તુત વ્યાકરણની રાજાએ પોતાના જૈન પંડિત પાસે ખૂબ પરીક્ષા કરાવી. સંપૂર્ણ રીતે તેનું પારાયણ અને વાચન કરાવ્યું. પંડિતાએ ખંતપૂર્વક પરીક્ષક દષ્ટિએ તેનું પૂર્ણ રીતે અવલેન કર્યા પછી તેમાં વૈદિક ધર્મ-સમાજ રાષ્ટ્ર અને વ્યાકરણાદિ શાસ્ત્રોની દષ્ટિથી કઈ બાધ તેમને જણ નહિ; એટલે રાજાને તેઓએ સદર ગ્રન્થ વિષે સારામાં સારો મત આપે. એથી સિદ્ધરાજને હર્ષ વગે. હેમાચાર્યની ઉદારતા અને વિદત્તા ઉપર તેની શ્રદ્ધા સજજડ થઈ. રાજાએ ત્રણસે લહિયાઓ પાસે તેની સંખ્યાબંધ નકલ કરાવી સર્વત્ર તેને પ્રચાર કર્યો. પ્રભાવક १. राज्ञः पुरः पुरोगश्च विद्वद्भिर्वचित ततः । चक्रे वर्षत्रयेणैव राज्ञा पुस्तकलेखनम् ॥ १०३ ॥ राजादेशानियुक्त्तश्च सर्वस्थानेभ्य उद्यतैः । तदा વાદ્ય સંશ્ચ સ્ટેશનો રાતત્રમ્ || ૧૦૪ પ્રભાવક ચરિત્ર. For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy