SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૫૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેવાડ રાજ્યનાં પુસ્તકાલયેા અને મ્યુઝીયમ ફતેહપ્રકાશ પ્રશસ્તિકાવ્ય જે શ્રીમાન્đકાર કર્ષીદાનનો ઉલ્લેખ હું પહેલાં કરી ગયે છુ તેઓ કવિરાજ સવલદાસજીની ઉત્તર પરંપરામાં થયા છે. અર્થાત્ ઠા. કર્ષીદાનજીના દાદા, સાંવલદાસજી કવિરાજના ભાઇ યતા હતા. તેથી કવિરાજ સોંવલદાસજીના વિદ્યાપ્રેમની ઝાંખી ડાકાર કર્ણીદાનજીમાં નજરે પડે છે. તેમણે ફત્તેહપ્રકાશ પ્રશસ્તિ કાવ્ય’ નામની એક રાજપ્રશસ્તિ બનાવી છે. તે સંસ્કૃત ભાષાનાં ૧,૨૫૦ પદ્યોમાં પૂરી થઇ છે. તે એક સારૂ કાવ્ય છે. તેમાં ખાપારાવળ ગુહિલથી લઇ મહારાણા ભૂપાલસ હજી સુધી સાધારણ કાવ્ય અને તિહાસમિશ્રિત પદ્ધતિથી સરલ અને સ ંક્ષેપમાં વર્ણન છે. છન્દ મોટે ભાગે અનુષ્ટુપ છે. ડાકાર શ્રી કÇદાનજી સજ્જન અને વિદ્વાન હૈ નમ્ર અને ગુણગ્રાહી છે. ગયા ચાતુર્માસમાં અમારી સાથે તેમનો પરિચય થયા. તેએ અમારી પાસે અવારનવાર ઉપાશ્રયે આવવા લાગ્યા. તેમની એક્સિમાં મને લઇ ગયા. તેમણે ઉપર્યુક્ત ‘ ફત્તેહુપ્રકાશ પ્રશસ્તિ કાવ્ય ” ઉપાશ્રયમાં લાવી મને બતાવ્યુ, અને તેમાં યોગ્ય સુધારા કરવાનું પણ કહ્યું. બહુ પ્રેમપૂર્વક મે' તે કાવ્યનો કેટલોક ભાગ જોયા અને મારી બુદ્ધિ પ્રમાણે મેં તે માટે શ્રી કદાનજી સાહેબને યોગ્ય સૂચના કરી, જેનો અમલ તેમણે નમ્રભાવથી કર્યો. મને દુઃખ છે કે આખું કાવ્ય જોવાને તેમના બહુ આગ્રહ હોવા છતાં તે કાવ્યને હુ સંપૂર્ણ જોઇ શકવા જેટલો સમય કાઢી શકયા નહિ અને તેથા, તેમની માંગણી હોવા છતાં, તે ઉપર મારા અભિપ્રાય પણ લખી શકયા નથી. આ કાવ્યમાં સીસોદિયા વંશનો પ્રારભથી અત્યાર લગીના ટ્રુક ઇતિહાસ છે, જે વીર વિને”નુ નવનીત પણ કહી શકાય, For Private and Personal Use Only
SR No.020374
Book TitleHimanshuvijayjina Lekho
Original Sutra AuthorN/A
AuthorHimanshuvijay, Vidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages597
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy