________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
બા હ ડ મે રૂ લગભગ ૧૪ માઈલની દૂરીપર, “બાહુડમેર” નામનું એક મોટું અને અતિ સમૃદ્ધ શહેર હતું. તે શહેરને નાશ થયા પછી એ જ (બરમેડ) નામનું નવું ગામ વસાવવામાં આવ્યું હતું. ઐતિહાસિક સાધના આધારે આ “બાડમેર” શહેરની વિશેષતા મને જણાઈ અને સાથે સાથે આ ગામની સાથે સૈારાષ્ટ્ર તેમજ ગુજરાતને પણ સાથે સંબંધ હતો એમ જણાયું, એટલે મારું મન તે પ્રાચીન શહેર તથા વર્તમાન બાડમેર સંબંધી લખવા પ્રેરાયું.
પ્રાચીનતાના પુરાવા:
નામ બાડમેરનું નામ પ્રાચીન શિલાલેખ, પટ્ટાવલીઓ અને બીજાં પુસ્તકોમાં “બાહભેર” કે “બાહભેર નગર તરીકે જોવામાં આવે છે. આનું નામ “બાહરમેર” શા ઉપરથી પડ્યું. તે સંબંધી ઐતિહાસિક પ્રમાણ મને મળ્યું નથી. પણ બાહડ એ પ્રાકૃત શબ્દ છે અને તેને સંસ્કૃત ભાષામાં “વાગભટ અર્થ થાય છે, અને
એ” શબ્દ તે નગર અથવા ગામની સાથે લગાડવામાં આવે છે કે જે નગર અથવા ગામ પર્વતોથી ઘેરાયેલું-પર્વતોની વચમાં હોય, પર્વતની ટેકરી ઉપર હોય અથવા તે પર્વતની તળેટીમાં વસેલું હેય. એટલે આને કોઈને કોઈ પ્રકારનો સંબંધ વાગભટની સાથે જોઈએ એમ લાગે છે. જે વાગભટના નામ ઉપરથી આ ગામ વસ્યાનું આપણને જણાય છે તે વાગભટ સંબંધી કશી માહિતી આપણને મળતી નથી. ગુજરાતના સોલંકી રાજાના એક મંત્રીનું નામ વાગભટ હતું, જે ઉદયન મંત્રીને પુત્ર થત હતો. અજમેર અને મારવાડના બીજા રાજાઓને જીતવામાં તેણે ઘણે સારો ફાળો આપે હતું,
૧. જુઓ વાગભટ્ટાલેકર, હેમચંદ્રનું પ્રાકૃત વ્યાકરણ વગેરે.
For Private and Personal Use Only