SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન–અધ્યાય ત્રીજે. ૩૨૫ વાતાતીસારનાં લક્ષણ सफेनिलं पिच्छिलमेव रूक्षमल्पं शकच्चामसशब्दशूलम् । कृष्णं भवेद्गात्रविचेष्टनं च वातातिसारं प्रवदन्ति तज्ज्ञाः ॥ વાયુદોષ બગડવાથી અતિસાર થયો હોય તે ઝાડ ફીણવાળે પિચ્છાવાળે, રૂક્ષ, થડે, શબ્દસહિત, શળયુત, અને કાળા થાય છે. વળી શરીરને પણ ચેન પડતું નથી. નિદાનને જાણનારા આચાયો એ અતીસારને વાતાતીસાર કહે છે. વાતાતીસારની ચિકિત્સા तस्यादौ लङ्घनं चैकमल्पे वा नैव लङ्घनम् । तस्माद्देयं कषायं तु पानं भोजनमेव च ॥ વાતાતીસારવાળાએ પ્રથમ એક લંઘન કરવું. અથવા જે અતસાર અલ્પ હોય તે લંઘન કરવાની જરૂર નથી. પછી તે રેગીને કવાથ પીવાને આપવો તથા અતીસારને રોકનારાં પાન અને ભોજન આપવાં. અતિસારનું પાચક કલેક उदीच्यधानस्य जलेन कल्कं पाने हितं पाचयतेऽतिसारम् । तृष्णापहं दाहविनाशनं च सशूलहिकासु विनाशनं स्यात् ॥ વાળ અને ધાણા એ ઐ ઓપને સમભાગે લેઈને તેનું પાણીમાં વાટીને કલ્ક કરવું. પછી તેમાં પાણી નાખીને તેને ગાળી લેવું. એ પાણી અતિસારવાળા રોગીને પીવામાં હિતકર છે, કેમ કે તે અતિસારને પકવે છે. વળી તે તરસને દૂર કરે છે, દાહને નાશ કરે છે, તથા શૂળ સહિત હિક્કાના રોગને પણ નાશ કરે છે. વાલકાદિ કવાથ, बालकद्वयमोचहरीतकीपर्पटेन सहितं जलेन च । काथपानमिदमेवातिसारे नाशमाशु कुरुते च विट्शान्तिम् ॥ બન્ને પ્રકારના વાળા, ચરસ, હમ, હરડે, પિત્તપાપડે, એ સર્વ ને પાણીમાં કવાથ કરીને પીવાથી અતિસારના રેશને જલદી મટાડે છે તથા મળને સમાવે છે. ૨૮, For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy