SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તૃતીયસ્થાન–અધ્યાય પેહેલા. wwwww www Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને વેલાજ્વર એટલે દરરોજ અમુક સમયે તાવ આવતા હોય, જેને ભૂતપીડાથી તાવ ઉપજ્યા હોય, જેને પિત્તજ્વર આવતા હોય, તથા જેને શ્રમ, ક્રોધ, ભય કે કામવિકારથી જ્વર આવતા હાય, એવા તાવવાળાઓને સારા વૈધે લંધન કરાવવું નહિ. વળી બાળક, વૃદ્ધ, કુશ, ક્ષીણુ, અતિસારના રોગવાળા, ત્રણરોગવાળો, ગર્ભવતી સ્ત્રી અને સુષુમાર, એટલા રાગીઓને વૈદ્યે કદાપિ ઉપવાસ કરાવવા નહિ. લંધન કરાવવા જેવા રોગીઓ. सामे मन्दज्वरे तीव्रे रुचि विबन्धकेऽपि च । अजीर्णे तु प्रशस्तं च लङ्घनं मात्रयान्वितम् ॥ स्निग्धत्वं चातिगात्राणामुदरं गर्जयेद्भृशम् । शिरोऽर्तिर्जठराध्मानं तृष्णा च कण्ठकूजनम् ॥ अरुचिः प्रीतता मूत्रे निद्रातन्द्रातुरं नरम् । सामज्वरं च विज्ञाय लङ्घयेद्भिषगुत्तमः ॥ ૨૪૭ इति लङ्घनयोग्याः । જેને સામજ્વર, મંદજ્વર, કે તીવ્રજ્વર થયા હાય, તથા જેને અચિ ઝાડાનો કબજો કે અજીર્ણ થયું હોય, તેને માત્રાસહિત લંધન કરાવવું હિતકર છે. જે પુરૂષનાં અંગ અતિ સ્નિગ્ધ હોય, જેના પેટમાં અતિશય ગગડાટ થતા હાય, જેનું માથું દુખતું હોય, જેનું પેટ ચઢતું હાય, જેને તરસ બહુ લાગતી હોય, જેના કંઠમાં અવાજ ખેલતા હાય, જેને અન્ન ઉપર રૂચિ ન થતી હોય, જેનું મૂત્ર પળા વર્ણનું હાય, જે પુરૂષને નિદ્રા આવતી હોય, જેને ઘેન થતું હાય, તથા જેને સામજ્વર હોય, એવા રાગીઓને જાણીને ઉત્તમ વૈધે તેમને લંધન કરાવવું. બંધનના છ પ્રકાર अनशनवमनविरेचनरक्तस्स्रुतितप्ततोयपानैश्च । स्वेदनकर्मसमेतैः सुषविधं लङ्घनं गदितम् ॥ For Private and Personal Use Only ભોજન ન કરાવવું, વમન કરાવવું, વિરેચન આપવું, લોહી વેવડાવવું, ગરમ પાણી પીવા આપવું, પરસેવા કાઢવા, એ છ પ્રકારનું લ ઘન કહેલું છે. અર્થાત્ ઉપવાસ કરવાને અશક્ત રાગીને ઉપવાસ ન કરા
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy