________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા એક પાઠ વાંચી ગયા પછી અધ ઘડી તે પર વિચાર કરી અંતઃકરણને પૂછવું કે શું તાત્પર્ય મળ્યું ? તે તાત્પર્યમાંથી હેય, રેય અને ઉપાદેય શું છે ? એમ કરવાથી આ ગ્રંથ સમજી શકાશે. હૃદય કમળ થશે; વિચારશક્તિ ખીલશે અને જેન તત્વ પર રૂડી શ્રદ્ધા થશે. આ ગ્રંથ કંઈ પઠન કરવારૂપ નથી; મનન કરવારૂપ છે. અર્થરૂપ કેળવણી એમાં જ છે. તે પેજના “ બાલાવબોધ રૂપ છે “વિવેચન અને * પ્રજ્ઞાવબોધ' ભાગ ભિન્ન છે; આ એમને એક કકડો છે; છતાં સામાન્ય તવરૂપ છે.
સ્વભાષા સંબંધી જેને સારું જ્ઞાન છે; અને નવતત્વ તેમ જ સામાન્ય પ્રકરણગ્રંથે જે સમજી શકે છે; તેવાઓને આ ગ્રંથ વિશેષ બોધદાયક થશે. આટલી તો અવશ્ય ભલા મણ છે કે નાના બાળકને આ શિક્ષાપાઠનું તાત્પર્ય સમજણરૂપે સવિધિ આપવું.
જ્ઞાનશાળાના વિદ્યાર્થીઓને શિક્ષાપાઠ મુખપાઠ કરાવવા, ને વારંવાર સમજાવવા. જે જે ગ્રંથની એ માટે સહાય લેવી ઘટે તે લેવી. એક બે વાર પુસ્તક પૂર્ણ શીખી રહ્યા પછી અવળેથી ચલાવવું.
આ પુસ્તક ભણી હું ધારું છું કે, સુજ્ઞવર્ગ કટાક્ષ દષ્ટિથી નહીં જોશે. બહુ ઉંડાં ઉતરતાં આ મેક્ષામાળા મેલનાં કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન અને શીલ બેધવાને ઉદ્દેશ છે.
આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળમે. ૫
For Private And Personal Use Only