________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ ક્રીડાકરવાના મને હર મહાલય કરાવીને પછી જજે.
નમિરાજ –(હેતુ કારણ પ્રે) તે જે જે પ્રકારના આવાસ ગણાવ્યા છે તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે. માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું.
વિપ્ર –(હેતું કારણ પ્રે.) હે ક્ષત્રિય શિરોમણિ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તે જજે.
નમિરાજ –હે વિપ્ર ? અજ્ઞાનવંત મનુષ્ય અનેકવાર મિથ્યા દંડ દે છે. ચેરીના નહીં કરનાર જે શરીરાદિક પુદ્ગલ તે લેકને વિષે બંધાય છે; અને ચેરીના કરનાર જે ઇંદ્રિયવિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તે પછી એમ કરવાનું શું અવશ્ય ?
વિપ્ર –હે ક્ષત્રિય ! જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપે સ્વતંત્રતાથી વર્તે છે તેને તું તારે વશ કરીને પછી જજે.
નમિરાજ –(હેતુ કારણ પ્રેટ) દશ લાખ સુભટને સંગ્રામને વિષે જીતવા એ દુર્લભ ગણાય છે, તે પણ એવા વિજય કરનારા પુરુષે અનેક મળી આવે, પણ એક સ્વાત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. તે દશ લાખ સુભટથી વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમત્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર યુદ્ધનું
For Private And Personal Use Only