________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૫ ૨૫. ઉત્સાહપૂર્વક કાર્યોત્સર્ગ કરે. ૨૬. પ્રમાદ રહિત જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્નાન કરવું. ૨૭. હંમેશાં આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપગથી વર્તવું. ૨૮. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતા પૂર્વક કરવું. ૨૯. મરણાંત દુઃખથી પણ ભય પામ નહીં. ૩૦. સ્ત્રી આદિકના સંગને ત્યાગ. ૩૧. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવી. ૩૨. મરણકાલે આરાધના કરવી.
એ એકેકે વેગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણમે અને તે સુખને પામે છે.
શિક્ષાપાઠ ૭૩. મોક્ષસુખ:-- કેટલીક આ સુષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચછા રહી છે કે જે કેટલાક અંશે જાણતાં છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જયારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મેક્ષ સંબંધી તે ઉપમા ક્યાંથી જ મળે? ભગવાનને ગૌતમસ્વામીએ મેક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ! એ અનંતસુખ! હું જાણું છું, પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કેઈપણ વસ્તુ કે સુખ નથી. એમ વદી એક ભીલનું દષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું.
For Private And Personal Use Only