________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પિટ ભર્યાની વાત તે હેય નહીં. બે ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતો હોય તે ભલે કે, જેથી રંગ લાગે, અને રંગ લાગે નહીં તે, બીજીવાર તેનું આગમન હોય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં, તેમ સત્સંગથી બુડાય નહીં; આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ? કેઈજ દુર્ભાગી; અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ “હિતિષી' ઔષધ છે.
શિક્ષા પાઠ ૨૫. પરિગ્રહને સંકોચો –
જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી, તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તે ભેગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત
ગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અર્ધગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તે મુનીશ્વર ત્યાગી શકે; પણ ગૃહસ્થ એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતેષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીએ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ
For Private And Personal Use Only