________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( વિભાગ- સિમાધિમરણની ચાવી)
૧ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન )
દુહા સકલ સિદ્ધિ દાચક સદા, ચોવીશે જિનરાય, સગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાસ. ૧ ત્રિભુવન પતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર, શાસન નાયક જગ જયો, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિણંદને, ચરણે કરી પ્રણામ, ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહો ફિણ પરે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ ૧ અતિચાર આલોઇએ, ૨ વ્રત ધરીએ ગુરૂ સાખ, ૩ જીવ ખમાવો સવાલ છે, ચોની ચોરાશી લાખ. ૫ ૪ વિધિશું વળી વોસિરાવીએ, પાપ સ્થાનક અઢાર, ૫ ચાર શરણ નિત્ય અનુસરો, ૬ નિંદો દુરિત આચાર. ૬ છે શુભ કરણી અનુમોદીએ, ૮ ભાવ ભલો મન આણ, ૯ અણસણ અવસર આદરી, ૧૦ નવપદ જપો સુજાણ. ૭ શુભ ગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર, ચિત્ત આણીને આદરો, જીમ પામો ભવપાર. ૮
For Private And Personal Use Only