________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈવિધ્યસભર સજઝાય
( ૧૮૧ સુખીયાની સઝાય
(રાગ તે મુનિવંદો તે મુનિ વંદો) તે સુખીયા ભાઈ તે સુખીયા, જે પર દુઃખે દુઃખીયાજી; પરસુખ દેખી જે સંતોષીયા, જેને જિનધર્મ ઓળખીયાજી. ૧ જ્ઞાનાદિક બહુ ગુણના દરિયા, ઉપશમ રસજળ ભરીયાજી; જે પાળે નિત સુધી કિરીચા, ભવસાગર તે તરીયાજી. ૨ દાન તણે રંગે જે રાતા, શીલગુણે કરી માતા રે; સવિ જગજીવને દિએ જે શાતા, પર વનિતાના ભ્રાતા રે. ૩ જેણે છાંડ્યા ઘરના ધંધા, જે પરધન લેવા અંધા રે; જે નવિ બોલે બોલ નિબંધા, તપ તપવે જે જોદ્ધા રે. ૪ પરમેશ્વર આગળ જે સાચા, જે પાળે સુધી વાચાજી, ધર્મકામે કબહી નહી પાછા, જિનગુણ ગાવે ાચા રે. ૫ પાપ તણાં દુષણ સવિ ટાળે, નિજ વ્રત નિત સંભાળજી; કામ ક્રોધ વૈરીને ગાળે, તે આતમકુળ અજવાળજી. ૬ નિશદિન ઇર્યાસમિતિએ ચાલે, નારી અંગ ન ભાળે જી; શુક્લધ્યાન માંહે જે હાલે, તપ તપી કર્મ ગાળે જી. ૭ જે નવિ બોલે પરની નિંદા, જે અમીરસ ફંદાજી; જેણે ત્રોડ્યા ભવના ફંદા, તસ દેખત પરમ આનંદાજી. ૮ જે પૂજે ભાવે જિન અંદા, સૌમ્ય ગુણે જિમ ચંદાજી; ધર્મો ધીર ગુરુ ચિરનંદા, નય કહે હું તસ બંદાજી. ૯
For Private And Personal Use Only