________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેતાં દાન વિમાસણ કરે, દેઈ દાના મન ચિંતા ધરે; સુખ સંપત્તિ પામે અભિરામ, છેડે ન હોયે વસવા ઠામ. ૧૧ ધન થોડું ને દીચે દાન, મહિયલ તેહને વાદ્ય વાન; બદષિને દેઈ કરે રંગરોલ, તસ ઘરે લક્ષ્મી કરે કલ્લોલ. ૧૨ સુખ સંપત્તિ જો આવે મળી, ડોસાને દેવા મતિ ટળી; ધન ઉપર જે રાખે સ્નેહ, પરભવ સાપપણે થાયે તેહ. ૧૩ અધિકો ઓછો બાંધે તોલ, દે વાચા નવિ પાળે બોલ; તેહની લોકમાં ન હોય લાજ, પરભવ તેહના ન સરે કાજ. ૧૪ પોથી બાળો' બોલે જેહ, પરભવ મૂરખ થાયે તેહ; ભણે ગુણે દે પોથી દાન, પરભવ નર તે વિધાવાન. ૧૫ નાના મોટાં ફંપલા હરી, ખાંતે ચૂંટે લીલા કરી; કીધા કર્મ નવિ ઠેલાય, મરીને નર તે કોઢીચો થાય. ૧૬ પાંખ પંખીની કાઢે જેહ, પરભવ ઠુંઠો થાયે તેe; પગ કાપે ને કરે ગલગલો, મરીને નર તે થાય પાંગલો. ૧૦ પાડોશીમું વટે દિન રાત, પરભવ ન તે પામે સંગાથ; માત પિતા સુત દિચર ઘણી, પરભવે તેહને વટાવટ ઘણી. ૧૮ અણદીઠું અણસાંભળ્યું કહે જેહ, પરભવ બહેરો થાયે તેહ પારકી નિંદા કરે નરનાર, જશ નહીં પામે તેહ લગાર. ૧૯ પરના અવગુણ ઢાંકે જેહ, નરનારી જશ પામે તેe; નિંદા કરે ને દિયે જે ગાળ,પરભવ નર તે પામે આળ. ૨૦ રાત્રિ ભોજન કરે નરનાર, તે પામે ઘુવડ અવતાર રાત્રે પંખી ન ખાચે ધાન, માણસ હૈયે ન દીસે સાન. ૨૧ સૂરજ સરીખો આથમે દેવ, માણસને ખાવાની ટેવ; ધર્મી લોક જ હોયે જેહ, રાત્રિ ભોજન ન કરે તેહ. ૨૨
--
For Private And Personal Use Only